અયોધ્યામાં રામ મંદિર સંપૂર્ણ રીતે સજ્જ અને તૈયાર છે. તેમાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. દેશ અને દુનિયાના કરોડો ભક્તોએ રામ મંદિર માટે પોતાની ક્ષમતા મુજબ દાન આપ્યું છે. રામ મંદિર માટે સૌથી મોટું દાન સુરતના એક હીરાના વેપારીએ આપ્યું છે. તેમણે રામ મંદિર માટે 101 કિલો સોનું મોકલ્યું છે.
આ દાતા દિલીપ કુમાર વી. લાખી છે જેઓ સુરતના સૌથી મોટા હીરાના કારખાનાના માલિક છે. એક અહેવાલ મુજબ, તેમણે રામ મંદિરમાં સ્થાપિત 14 સોનાના જડેલા દરવાજા માટે 101 કિલો સોનું મોકલ્યું છે. એવું માનવામાં આવે છે કે રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળેલું આ સૌથી મોટું દાન છે.
રામ જન્મભૂમિ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે સોનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યા છે. બીજું સૌથી મોટું દાન કથાકાર મોરારી બાપુના અનુયાયીઓ દ્વારા આપવામાં આવ્યું છે. તેમણે રામ મંદિર માટે 16.3 કરોડ રૂપિયા આપ્યા છે. આ ઉપરાંત સુરતના હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડ રૂપિયા મંદિરને અર્પણ કર્યા હતા. ધોળકિયા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક છે.
માર્ચ 2023 સુધીમાં જ રામમંદિર માટે 3 હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું. મંદિરમાં અત્યાર સુધી થયેલા નિર્માણ પાછળ લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કામ પૂરું થાય ત્યાં સુધી અંદાજે 300 કરોડ રૂપિયાનો વધુ ખર્ચ થશે.
આ પણ વાંચો:સચિન તેંડુલકરના ડીપફેક વાઇરલ વિડીયો પર પોલીસની કાર્યવાહી
આ પણ વાંચો:કોણ છે મિહિર દિવાકર જેણે ધોની સામે કર્યો માનહાનિનો કેસ, જાણો કેમ ખરાબ થયા બન્નેના સબંધો?
આ પણ વાંચો:વિરાટ કોહલીએ જીત્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ, કેપ્ટન રોહિતની પ્રતિક્રિયા જોવા જેવી
આ પણ વાંચો:ટાટાને આઇપીએલના રાઇટ્સ 2,500 કરોડમાં મળ્યાં