યાત્રાધામ દ્વારકા માં દ્વારકાધીશ જગત મંદિર ના શિખર પર ધ્વજા ધ્વજ દંડ પર ફરકાવવામાં આવે છે પરંતુ ધ્વજા ને ધ્વજદંડ ના બદલે શિખર પર અડધી કાઠી એ ફરકાવવામાં આવી છે.
યાત્રાધામ દ્વારકા માં દ્વારકાધીશ ના જગત મંદિર ના શિખર પર ધ્વજાજી નું અનેરું મહત્વ છે અને ભગવાન ના ભક્તો ખૂબ ધામધૂમથી ધ્વજા ચડાવવા પહોંચે છે. પરંતુ આજ રોજ વાવાઝોડા ની સંભાવના ને લઈ દ્વારકાધીશ મંદિર ના વહીવટદાર દ્વારા મંદિર ના શિખર પર ધ્વજદંડ ના બદલે અડધી કાઠી એ ધ્વજા ફરકાવવામાં આવે તેવું સૂચન કર્યું છે.
મહત્વનું છે કે વાવાઝોડા ને લઈ ને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારીઓ રખાઈ રહી છે ત્યારે દ્વારકા ના જગત મંદિર પર ફરકાવવામાં આવતી ધ્વજાજી ને શિખર પર ના ધ્વજદંડ ના બદલે શિખર પર અડધી કાઠી એ ફરકાવવામાં આવી છે જેથી ધ્વજાજી ફરકાવવા જતા ભારે પવન ના કારણે જાન અને માલ નું નુકશાન ન થાય .