હોળીના દિવસે હોળિકા દહન કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પ્રથામાં રાતના સમયે હોળી પ્રગટાવીને ભક્ત પ્રહલાદના આત્મિક વિજયને યાદ કરવામાં આવે છે. હોળિકા દહનના દિવસે હોળીની પૂજા કરવામાં આવે છે અને જ્યારે હોળિકા દહન થાય છે, ત્યારે લોકો ત્યાંથી સળગતી રાખ લાવે છે અને તેને ઘરની આજુબાજુ ફેરવે છે, આમ કરવામાં આવે છે જેથી નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે,.
હોળિકા દહન બાદ હોળીની થોડી રાખ લાવવાની પરંપરા છે. હોળીની રાખને કઇ દિશામાં રાખવી જોઈએ, તે તમારે જાણવું જોઇએ. હોળીની રાખ ઘરે લાવ્યા પછી તમને અનેક ફાયદા થશે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ હોળી પ્રગટાવ્યા પછી હોળિની રાખ લઇ આવી, ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો. કારણ કે આગ્નેય કોણનો સંબંધ અગ્નિ તત્વ સાથે છે અને રાખ પણ અગ્નની પ્રગટ્યા બાદ જ બને છે. તમને જણાવી દઇએ કે આ દિશામાં હોળીની રાખ રાખવાથી તમને ધંધામાં લાભ મળશે. તમે જીવનમાં વૃદ્ધિ કરશો.
જો તમે હોળિકા દહનના દિવસે રાખ ઘરે લઈને આવશો અને એક ખુણામાં કોઇ જોવે નઈ એ પ્રમાણે રાખી દેશો અને સવારે એન સાફ કરી દેશો તો તમારા ડુબેલા નાણા તરત જ પાછા આવશે.