ICCએ વર્ષ 2022 માટે ટેસ્ટ ટીમની પણ જાહેરાત કરી છે. ટેસ્ટ ટીમમાં ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ઓપનર રોહિત શર્મા, વિકેટકીપર ઋષભ પંત અને ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન ICC ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે. આ ટીમમાં સૌથી વધુ ત્રણ ખેલાડીઓ ભારત અને પાકિસ્તાનના છે. ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને ટીમની કમાન સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:પાકિસ્તાન / પાકિસ્તાનના લાહોરમાં વિસ્ફોટના લીધે , 5 વ્યક્તિના મોત અને 20 લોકો ઇજાગ્ર્સ્ત થયા
ICC ODI અને T20 ટીમમાં કોઈપણ ભારતીય ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ ત્રણ ખેલાડીઓ ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી ચૂક્યા છે. ભારતીય ટીમે 2021માં બહુ ઓછી ODI રમી હતી અને T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ કારણે ભારતનો કોઈ ખેલાડી આ બંને ટીમોમાં જગ્યા બનાવી શક્યો નથી. જો કે રોહિત, અશ્વિન અને પંતને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો;પાકિસ્તાન / પાકિસ્તાનના લાહોરમાં વિસ્ફોટના લીધે , 5 વ્યક્તિના મોત અને 20 લોકો ઇજાગ્ર્સ્ત થયા
સૌથી વધુ ત્રણ ખેલાડીઓ ભારત અને પાકિસ્તાનના છે. 2021 માં ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર ન્યુઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસનને ટીમની કમાન સોંપવામાં આવી છે. કાયલ જેમિસન ટીમનો બીજો કિવી ખેલાડી છે. આ ટીમમાં પાકિસ્તાનના હસન અલી, ફવાદ આલમ અને શાહીન આફ્રિદી સામેલ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન, ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને શ્રીલંકાના દિમુથ કરુણારત્ને પણ ટીમનો ભાગ છે.