રાજ્યમાં બદલી મેળવવા માટે ખોટા મેડિકલ સર્ટીફિકેટ રજૂ કરનારા 17 શિક્ષકો સામેની તપાસ CID Crime બ્રાન્ચને સોંપવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ અંગે કહ્યું કે વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસને બદલે સર્વગ્રહી તપાસનો સરકારે નિર્ણય લીધો છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબીબી પ્રમાણપત્રો રજુ કરી જિલ્લા ફેરની બદલીની માંગણી કરી છે આવા સંજોગોમાં સર્વગ્રાહી તપાસ થાય એ માટે રાજય સરકારે સી.આઇ. ડી. ક્રાઇમને તપાસ સોપવાનો મહત્વપુર્ણ નિર્ણય કર્યો.
તેમણે ઉમેર્યુ કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર આ 17 પ્રાથમિક શિક્ષકોએ હ્દય રોગ, કિડની, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગો સંદર્ભે ખોટા તબીબી પ્રમાણપત્રો રજૂ કરી બદલીની માંગણી કરી છે તેની પણ યોગ્ય તપાસ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું