Dhollywood/ દિવંગત મહેશ-નરેશની જોડીને 9મીએ પદ્મશ્રી એવોર્ડ અપાશે

મહેશ-નરેશની જોડીને સંયુકતપણે મરણો પરાંત પદ્મશ્રી એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી છે. આગામી 9મી નવેમ્બરના રોજ બન્નેને સંયુકત પણે રાષ્ટ્રપતિ ના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવશે.

Entertainment
Untitled 483 દિવંગત મહેશ-નરેશની જોડીને 9મીએ પદ્મશ્રી એવોર્ડ અપાશે

ગુજરાતી ફિલ્મ જગતમાં મુઠી ઉંચેરુ સ્થાન ધરાવતા સ્વ. મહેશ કનોડીયા અને સ્વ. નરેશ કનોડીયાની જોડીને ને પદ્મશ્રી આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે આગામી 9મી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજનારા સમારોહમાં બન્ને ભાઇઓને સંયુકત મરણોપરાંત પદ્મશ્રી આપીને સન્માનીત કરવામાં આવશે.

આ  પણ વાંચો ;પોલીસ આંદોલન બન્યું તીવ્ર / ગ્રેડ પે મુદ્દે પોલીસ આંદોલન બન્યું તીવ્ર, ઠેર ઠેરથી આંદોલનકારીઓ પહોચી રહ્યા છે ગાંધીનગર

પૂર્વ સાંસદ સ્વ. મહેશ કનોડીયાએ અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત પિરસ્યુ હતું. જયારે તેમના લધુબધુ સ્વ. નરેશ કનોડીયાનો ગુજરાતી ચલચિત્રમાં એક હથ્થુ સામ્રાન્ય ધરાવતા હતા. ગત વર્ષ  બન્ને ભાઇઓનું ખુબજ નજીકના અંતરમાં નિધન થયું હતું. મહેશ કનોડીયાએ લાંબી બિમારી બાદ ફાની દુનિયાને અલવિદા  કહ્યું હતું જયારે નરેશ કનોડીયાનું કોરોનાના કારણે નિધન થયું હતું.

આ પણ વાંચો ;ઉડ્ડયન સેવામાં ફેરફાર /  દિવાળી આવતાની સાથે જ સૌરાષ્ટ્રના મુસાફરો માટે ખાસ ઉડ્ડયન સેવામાં ફેરફાર

મહેશ-નરેશની જોડીને સંયુકતપણે મરણો પરાંત પદ્મશ્રી એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી છે. આગામી 9મી નવેમ્બરના રોજ બન્નેને સંયુકત પણે રાષ્ટ્રપતિ ના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવશે.