મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે NCB વિરુદ્ધ ખંડણી રેકેટ ચલાવવા સહિત વિવિધ આરોપો ધરાવતો પત્ર જારી કર્યો છે. અગાઉ મલિકે કહ્યું હતું કે તે સમીર વાનખેડેની વિવિધ ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે એનસીબીમાં કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલો પત્ર પણ મોકલી રહ્યો છું,નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એમ. અશોક જૈને મંગળવારે જણાવ્યું હતું કે તેઓ આ મામલે જરૂરી કાર્યવાહી કરશે અને યોગ્ય પગલાં લેશે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મંત્રીએ કહ્યું કે એનસીબીએ પત્રમાં 26 આરોપોની તપાસ કરવી જોઈએ જેમાં આરોપ છે કે એન્ટી-નાર્કોટિક્સ એજન્સીમાં “રિકવરી ગેંગ” ચલાવવામાં આવે છે. પત્ર વિશે પૂછતાં જૈને અહીં NCB ઓફિસની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે તેમને વોટ્સએપ પર એક પત્ર મળ્યો છે અને તે જરૂરી કાર્યવાહી કરશે.
NCBએ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજીનો સતત વિરોધ કર્યાે છે, NCBએ આ મહિનાની શરૂઆતમાં ક્રુઝ શીપ પર દરોડા પાડ્યા બાદ આર્યન સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી, એજન્સીએ જહાજ પર માદક દ્રવ્યો જપ્ત કરવાનો દાવો કર્યો છે.
નવાબ મલિકના આરોપોની તપાસ માટે દિલ્હીથી મુંબઈ ગયેલી NCBની ટીમના જવાબ પર જૈને કહ્યું કે તેમને એજન્સીની ટીમ અહીં આવવાની માહિતી પણ મળી છે. એનસીબીએ આર્યન ખાનની મુક્તિના બદલામાં એજન્સીના મુંબઈ ડિવિઝનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સહિત કેટલાક અધિકારીઓ દ્વારા રૂ. 25 કરોડની વસૂલાતની માગણી કરનાર સાક્ષીના દાવા અંગે તકેદારી તપાસનો આદેશ આપ્યો છે.