રાજય માં કોરોનાના કેસમાં સતતઘટાડો થઈ રહ્યો છે. જેમના લીધે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ અને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપવામાં આવી છે, ત્યારે આજે રાજ્યમાં 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદા વધારાઈ છે . રાજય માં હવે 28 ઓગસ્ટ સુધી 8 મહાનગરોમાં રાત્રે 11 થી સવારે 6 સુધી રાત્રી કર્ફ્યુ અમલ રહેશે.
આ પણ વાંચો :પાકિસ્તાનના કરાચીમાં ટ્રકમાં થયેલા વિસ્ફોટના કારણે 11 લોકોના મોત થયા
આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :ધોરણ 12 રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે
રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે . જેમાં 8 મહાનગરોમાં હવે રાત્રે 11 થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યૂખુલ્લા અથવા બંધ સ્થળે લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદારાજ્યમાં લગ્ન પ્રસંગો માટે ઓનલાઈન મંજૂરી લેવી તેમજ જરૂરીરાજ્યમાં અંતિમવિધિ માટે 40 લોકોની મંજૂરી આપવામાં આવી,ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક કાર્યક્રમોમાં 400 લોકોની છૂટગણેશ મહોત્સવમાં 4 ફૂટ સુધીની મૂર્તિની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ 400 લોકોને છૂટ આપવામાં આવી તેમજ કાર્યક્રમોમાં બંધ સ્થળોએ પણ 400 વ્યક્તિઓની છૂટ આપવામાં આવી .