મોરબી/ મોરબી પુલ હોનારત મામલે રાજવી પરિવારે કરી સહાયની જાહેરાત,આટલા લાખની કરશે મદદ,જાણો

મોરબીમાં બનેલી દુર્ઘટનાથી આખું ગુજરાત દુઃખી છે ત્યારે મોરબીમાં રહેતા રાજવી પરિવાર પણ તેટલો જ શોકાતુર છે. મોરબીના લોકો માટે તેઓની સહાનુભૂતિ ઘણી વખત જોવા મળી છે

Top Stories Gujarat
23 મોરબી પુલ હોનારત મામલે રાજવી પરિવારે કરી સહાયની જાહેરાત,આટલા લાખની કરશે મદદ,જાણો

મોરબીમાં બનેલી દુર્ઘટનાથી આખું ગુજરાત દુઃખી છે ત્યારે મોરબીમાં રહેતા રાજવી પરિવાર પણ તેટલો જ શોકાતુર છે. મોરબીના લોકો માટે તેઓની સહાનુભૂતિ ઘણી વખત જોવા મળી છે. આ ઘટના દરમિયાન મોરબીના રાજવી પરિવાર દ્વારા પણ મૃતકો માટે એક એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

22 મોરબી પુલ હોનારત મામલે રાજવી પરિવારે કરી સહાયની જાહેરાત,આટલા લાખની કરશે મદદ,જાણો

 મોરબીના રાજવી પરિવારનો એક વીડિયો સામે આવ્યો છે. રાજકુંવરીબા સાહેબ મીરાબાપાએ કહ્યું છે કે, મોરબીની ઘટનાને લઈને રાજપરિવાર ખુબ દુઃખી છે. કઈ રીતે આશ્વાસન દેવું તેના શબ્દો જ નથી. અમે જે રીતે મદદ થઈ શકી તેવા પ્રયત્નો કર્યા છે. જેમની સાથે દુર્ઘટના બની છે તેમને લાખ-લાખ રૂપિયા આપીશું. ઉપરાંત કઈ બીજી રીતે મદદ થઈ શકે, આપ અમારા છો અમે તમારા છીએ તમે જણાવજો. સર્વની આત્માને શાંતિ મળે તે જ અમારી પ્રાથના છે.