Ahmedabad/ મેન્ટેનેન્સ માટે માલદીવ્સ મોકલેલું સી-પ્લેન પરત ફર્યું, હવે નહીં જવુ પડે માલદીવ્સ, જાણો કેમ?

PM નરેન્દ્ર મોદીનાં અનેક ડ્રિમ પોજેક્ટસમાંનો એક એવો સી-પ્લેન પ્રોજેક્ટ જેનું ઉદ્દધાટન પર ખુજ PM મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું અને પહેલી મુસાફરી પણ ખુદ PM મોદીએ જ કરી હતી

Ahmedabad Gujarat
dakor 1 મેન્ટેનેન્સ માટે માલદીવ્સ મોકલેલું સી-પ્લેન પરત ફર્યું, હવે નહીં જવુ પડે માલદીવ્સ, જાણો કેમ?

PM નરેન્દ્ર મોદીનાં અનેક ડ્રિમ પોજેક્ટસમાંનો એક એવો સી-પ્લેન પ્રોજેક્ટ જેનું ઉદ્દધાટન પર ખુજ PM મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું અને પહેલી મુસાફરી પણ ખુદ PM મોદીએ જ કરી હતી અને જે ગુજરાતને અને ખાસ કરીને અમદાવાદને દેશ-દુનિયામાં પ્રાઇડ અપાવવાનું કામ કરે છે, તે સી-પ્લેન ફરી એક વખત એક મહિનો માલદીવ્સ રહીને પાછુ ફર્યું છે.

sss 22 મેન્ટેનેન્સ માટે માલદીવ્સ મોકલેલું સી-પ્લેન પરત ફર્યું, હવે નહીં જવુ પડે માલદીવ્સ, જાણો કેમ?

સી-પ્લેન કોઇ શોખ કે કાર્યક્રમનાં ભાગ રુપે માલદીવ્સ નહોતુ ગયું કે નહોતુ ગયું ફરવા માટે પણ. આતો છેલ્લા એક મહિનાથી સીપ્લેનને મેન્ટેનેન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું હતું. જે આજે ભારત-અમદાવાદ પરત થયું. ત્યારે ફરી એક વખત સી પ્લેન સેવાની મજા લોકો મણી શકશે. જે માટેના ઓનલાઇન બુકીંગ પણ સ્પાઇસ જેટ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે.

sss 27 મેન્ટેનેન્સ માટે માલદીવ્સ મોકલેલું સી-પ્લેન પરત ફર્યું, હવે નહીં જવુ પડે માલદીવ્સ, જાણો કેમ?

અમદાવાદમાં ફરી સી-પ્લેન સેવા શરૂ થશે તે સારા સમાચાર છે, પરંતુ તેના કરતા પણ સારા સમાચાર એ છે કે, હવે ફરીથી સી-પ્લેનને માલદિવ્સ નહી જવુ પડે, કારણ…કારણ કે, સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન પરત ફર્યું છે તો સાથે સાથે હવે અમદાવાદમાં જ ખાનગી કંપની દ્વારા સી પ્લેન મેન્ટેનન્સ સંભાળાશે. જેને લઇને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જેટી બનાવવા જગ્યા ફાળવવામાં આવી છે.

ipl2020 88 મેન્ટેનેન્સ માટે માલદીવ્સ મોકલેલું સી-પ્લેન પરત ફર્યું, હવે નહીં જવુ પડે માલદીવ્સ, જાણો કેમ?

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સી પ્લેન સેવાની શરુઆત થયાની એક મહિના અંદર જ સર્વિસ માટે માલદીવ મોકલાયુ હતું. હવે અમદાવાદમાં જ સી – પ્લેનનું મેન્ટેનેન્સ થશે સી-પ્લેનના મેન્ટેનેન્સ માટે જેટી બનાવાશે અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ કારણ સાથે જગ્યા પણ ફાળવાઈ ચૂકી છે. ખાનગી કંપની સી-પ્લેનનું મેન્ટેનેન્સ કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…