Gandhinagar News/ રાજ્ય સરકાર દ્વારા ‘વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર રીન્ટેન્શન’ કરાયો શરૂ, જાણો શું છે ‘વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર રીન્ટેન્શન’

વાહન જ્યારે સ્ક્રેપ કરવામાં આવતું હોય અથવા માલિકી તબદીલી થતી હોય તેવા કિસ્સામાં વાહનો પર ફાળવવામાં આવેલ રજીસ્ટ્રેશન નંબર મૂળ વાહન માલિક દ્વારા ખરીદતા વાહનો પર ફાળવી શકાય તે હેતુથી વ્હીકલ રજીસ્ટ્રેશન રીન્ટેન્શનની સેવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાઈ.

Gujarat Gandhinagar
Yogesh Work 2025 03 07T181117.856 રાજ્ય સરકાર દ્વારા 'વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર રીન્ટેન્શન' કરાયો શરૂ, જાણો શું છે 'વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર રીન્ટેન્શન'

Gandhinagar News : રાજ્ય સરકાર દ્વારા વાહન નોંધણી નંબર જાળવણી યોજના શરૂ કરવામાં આવી. રાજ્ય સરકારે વાહન નોંધણી નંબર જાળવણી (Vehicle Registration Number Retention) યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, જ્યારે કોઈ વાહન ભંગારમાં જતું હોય અથવા તેની માલિકી બદલાતી હોય, ત્યારે મૂળ માલિક તેમના વાહનનો નોંધણી નંબર નવા ખરીદેલા વાહન પર મેળવી શકશે.

આ સેવા શરૂ કરવાનો મુખ્ય હેતુ વાહન માલિકોને તેમના મનપસંદ અથવા યાદગાર નોંધણી નંબર જાળવી રાખવાની સુવિધા આપવાનો છે. આ યોજના હેઠળ વાહન માલિકો તેમના હાલના વાહનનો નોંધણી નંબર જાળવી શકશે અને તેને તેમના નવા વાહન પર ટ્રાન્સફર કરી શકશે.

આ યોજનાનો લાભ લેવા માટે વાહન માલિકોએ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની વેબસાઈટ https://cot.gujarat.gov.in ની મુલાકાત લેવી પડશે. આ વેબસાઈટ પર, વાહન માલિકોને યોજના વિશેની તમામ જરૂરી માહિતી, સૂચનાઓ અને પ્રક્રિયાની વિગતો મળી રહેશે.આ યોજના વાહન માલિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે તે તેમને તેમના મનપસંદ નોંધણી નંબર જાળવી રાખવાની સુવિધા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સતત ભક્તોના રોષ સામે આખરે ઝુક્યા જ્ઞાનપ્રકાશ, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિરપુર મંદિરે આવી જ્ઞાનપ્રકાશએ માગી માફી

આ પણ વાંચો: સ્પાઇન ઇન્સ્ટિટ્યુટની મહિલા કર્મચારો આત્મનિર્ભરતાની સાથે સ્વરક્ષણ માટે પણ સજ્જ

આ પણ વાંચો: ગુજરાત ATSને મળી મોટી સફળતા, 1 પાકિસ્તાની નાગરિકની ધરપકડ, આતંકવાદી કનેકશનને લઈ પૂછપરછ