Gujarat News: ગુજરાત વહીવટી સેવા સંવર્ગ GAS (સિનિયર સ્કેલ) અઘિકારી એસ જે પંડ્યા ને તા.5 જુલાઈ 2024 બપોર બાદ તાત્કાલિક અસર થી રાજ્ય સેવામાંથી જાહેર હિતમાં અપરિપક્વ નિવૃત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર ના નાણાં વિભાગ અંતર્ગત ના નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 ના બે અધિકારીઓ શ્રી દોલતભાઈ પરષોત્તમભાઈ નેતા અને શ્રી એસ.એચ .ગાંધીને તેમની સેવાઓમાંથી તાત્કાલિક અસરથી તારીખ 5 જુલાઈ 2024 બપોર બાદ અપરિપક્વ નિવૃત એટલે કે premature retire કરવામાં આવ્યા છે.
દોલતભાઈ પરષોત્તમભાઈ આશ્રમ રોડ પરની સરકારી કચેરીમાં નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 ના અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. દોલતભાઈએ આર્ટસમાં ગ્રેજ્યુએશન કરવા બાદ બી.એડનો પણ અભ્યાસ કર્યો હતો. દોલતભાઈની નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1ના અધિકારી તરીકે માર્ચ-2019માં નિમણૂંક કરવામાં આવી હતી. સુરતના નિવાસીલ દોલતભાઈ પરષોત્તમભાઈ હાલમાં અમદાવાદની સરકારી કચેરીમાં કામ કરતા હોવાના સંબંધે ચાંદખેડા વિસ્તારમાં રહે છે.
આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ
આ પણ વાંચો: અંબાલાલ પટેલની ચેતવણીઃ રાજ્યમાં જુલાઈના અંત ભાગમાં પૂર આવી શકે
આ પણ વાંચો: એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને અનુસરોઃ સી આર પાટીલ