નવી દિલ્હીઃ વિરોધ પક્ષો દ્વારા આજે (બુધવાર) લોકસભામાં કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે. છેલ્લા ચાર દિવસથી મણિપુર મુદ્દે ગૃહમાં ચર્ચા ચાલી રહી છે. આજે સંસદના ચોમાસુ સત્રનો પાંચમો દિવસ છે. છેલ્લા ચાર દિવસથી મણિપુર મુદ્દે ગૃહમાં ચર્ચા ચાલી રહી છે. દરમિયાન, વિપક્ષી દળો દ્વારા આજે (બુધવારે) લોકસભામાં કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે. આ પ્રસ્તાવ કોંગ્રેસના નેતા તરુણ ગોગોઈના નેજા હેઠળ લાવવામાં આવશે.
કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો અવિશ્વાસ પ્રસ્તાવ પર સહમત થયા છે. આ અંગે કોંગ્રેસે પોતાના સાંસદોને વ્હીપ પણ જારી કર્યો છે. વિપક્ષ માંગ કરી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે મણિપુર મુદ્દાઓ પર નિવેદન આપે, જ્યારે સરકારનું કહેવું છે કે તે મણિપુર પર ચર્ચા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષી પાર્ટીઓ એક નિયમ હેઠળ ચર્ચા માટે દબાણ કરી રહી છે.
વિપક્ષ નિયમ 267 હેઠળ ચર્ચાની માંગ કરી રહ્યો છે. જ્યારે સરકાર આ નિયમ હેઠળ ચર્ચા માટે તૈયાર ન હતી. સંસદનું સત્ર શરૂ થયા બાદથી સતત ચોથા દિવસે પણ સંસદની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી શકી નથી. તે જ સમયે, પીએમ મોદીના ભારત વિશેના નિવેદન પછી, શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ વધી ગઈ છે. દરમિયાન, વિપક્ષે આવતીકાલે એટલે કે બુધવારે જ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે.
જો કે, આ પહેલીવાર નથી જ્યારે ગૃહમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય. આ પહેલા જુલાઈ 2018માં પણ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર 11 કલાકની ચર્ચા બાદ મતદાન થયું હતું. જો કે મોદી સરકારે સરળતાથી બહુમત સાબિત કરી દીધો.
અવિશ્વાસ પ્રસ્તાવ શું છે?
જ્યારે લોકસભામાં વિપક્ષને લાગે છે કે વર્તમાન સરકાર લઘુમતીમાં છે અથવા સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે. જેને અંગ્રેજીમાં નો કોન્ફિડન્સ મોશન કહે છે. બંધારણમાં અનુચ્છેદ-75માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલમ-75 મુજબ કેન્દ્રીય મંત્રી પરિષદ લોકસભાને જવાબદાર છે. આવી સ્થિતિમાં જો ગૃહમાં બહુમતી ન હોય તો વડાપ્રધાન સહિત સમગ્ર મંત્રી પરિષદને રાજીનામું આપવું પડે છે.
આ પણ વાંચોઃ સુરત/ફ્રુટવાળાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું પોતે વ્યાજખોરિના ચક્કરમાં ફસાયો છે સુરત પોલીસે 48 કલાકમાં જ કરી મદદ
આ પણ વાંચોઃ Raigad landslide/પૌત્ર-પૌત્રીઓ સહિત પરિવારના 5 લોકો માટી નીચે દટાયા, વૃદ્ધે કહ્યું- જિંદગી પૂરી થઈ ગઈ, હટાવવા કરતાં તેમને ત્યાં આરામ કરવા દો
આ પણ વાંચોઃ Lambha Market Subyard/લાંભા માર્કેટને સબ યાર્ડ તરીકે માન્યતાઃ ખેડૂતોએ હવે જમાલપુર સુધી લાંબા નહી થવું પડે
આ પણ વાંચોઃ મોટો ઘટસ્ફોટ/તથ્ય પટેલના સિંધુભવન રોડ અકસ્માતનો કેસમાં મોટો ખુલાસો, આ DySPએ ભજવી મોટી ભૂમિકા
આ પણ વાંચોઃ Banas Dairy/બનાસ ડેરી ખાતે 55મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, લેવાયા આ નિર્ણયો