IND VS PAK/ અમદાવાદમાં નહીં થાય પાકિસ્તાન સાથે મેચ! વર્લ્ડ કપ શકે છે બદલાવ

હવે એવા સમાચાર આવી રહ્યા છે જે ક્રિકેટ ચાહકો માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. સમાચાર છે કે ICCએ BCCIને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું સ્થળ બદલવા માટે કહ્યું છે.

Top Stories Sports
Untitled 46 3 અમદાવાદમાં નહીં થાય પાકિસ્તાન સાથે મેચ! વર્લ્ડ કપ શકે છે બદલાવ

જ્યારથી વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર થયું છે, ત્યારથી દરરોજ કોઈને કોઈ નવા સમાચાર આવી રહ્યા છે. પહેલા એવું હતું કે પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં રમવા માટે તૈયાર નહોતી, ત્યારપછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગઈ હતી. અને હવે એવા સમાચાર આવી રહ્યા છે જે ક્રિકેટ ચાહકો માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. સમાચાર છે કે ICCએ BCCIને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું સ્થળ બદલવા માટે કહ્યું છે.

15 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાં ગરબા ઉજવાશે

કારણ એ પણ મોટું છે કે, 15 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાં ગરબા રમાશે. જેના કારણે આટલી મોટી સ્પર્ધા યોજવામાં મુશ્કેલી આવી શકે છે. તેને જોતા આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું છે કે સ્થળ બદલવામાં આવે તો સારું રહેશે. આ તમામ માહિતી બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ એક મીડિયા ચેનલ સાથે વાત કરતા આપી હતી.

BCCI સામે મોટી સમસ્યા

હવે જોવાનું એ રહે છે કે BCCI હવે કેવું પગલું ભરે છે. હા, જો પોલીસ તરફથી એવું પણ કહેવામાં આવે કે સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થઈ શકે છે, તો બોર્ડને અન્ય જગ્યાએ હરીફાઈ યોજવાની ફરજ પડશે. જો કે પોલીસ તરફથી અત્યારે આવા કોઈ સમાચાર નથી.

બોર્ડ સમક્ષ કયા વિકલ્પો છે

જો મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવે છે, તો બીસીસીઆઈ પાસે કયા વિકલ્પો બાકી છે. મેચને લઈને બોર્ડ કોલકાતા જઈ શકે છે. કારણ કે ક્ષમતાની દ્રષ્ટિએ અમદાવાદ પછી માત્ર કોલકાતા બીજા નંબરે આવે છે. અને આ પહેલા પણ પાકિસ્તાનની ટીમ ઘણી વખત ત્યાં રમી ચુકી છે. આ સિવાય બેંગ્લોર પણ સારો વિકલ્પ છે.

આ પણ વાંચો:સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહની માતાને બ્લેકમેલ કરીને 40 લાખ માંગનાર મહિલાની ધરપકડ,આ કારણથી ડરાવી રહી હતી!

આ પણ વાંચો:BCCIએ વર્લ્ડ કપ માટે એક પેટા સમિતિની કરી રચના,આ લોકોને સોંપાઇ જવાબદારી,જાણો

આ પણ વાંચો:ભારતીય ટીમનું હોમ શેડયૂલ જાહેર! જાણો કઇ ટીમો સાથે રમશે મેચ

આ પણ વાંચો:હરમનપ્રીત કૌરને મોટું નુકસાન, પ્રતિબંધના અહેવાલો વચ્ચે ભારતીય કેપ્ટનને ICCનો ફટકો