Not Set/ રથયાત્રાના પાવન પર્વ પર PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા

ઓછા સમયમાં સરળ રીતે રથયાત્રાનું આયોજન કરાયું. આ વિશેષ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

Top Stories India
A 202 રથયાત્રાના પાવન પર્વ પર PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા

કોરોના કહેર વચ્ચે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદ અને પુરીમાં ભક્તોની ઉપસ્થિતિ વિના નીકળી રહી છે. આ વખતે ઓછા સમયમાં સરળ રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિશેષ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે ટ્વીટ કરીને લખ્યું છે કે રથયાત્રાના વિશેષ પ્રસંગે સૌને શુભેચ્છાઓ. અમે ભગવાન જગન્નાથને નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આશીર્વાદથી દરેકના જીવનમાં સારું આરોગ્ય અને સમૃદ્ધિ આવે. જય જગન્નાથ!

A 198 રથયાત્રાના પાવન પર્વ પર PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ પ્રસંગે તમામ દેશવાસીઓ ખાસ કરીને ઓડિશાના તમામ ભક્તોને મારા હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ. હું ઈચ્છું છું કે ભગવાન જગન્નાથના આશીર્વાદથી તમામ દેશવાસીઓનું જીવન સુખ, સમૃદ્ધિ અને આરોગ્યથી ભરેલું રહે.

A 199 રથયાત્રાના પાવન પર્વ પર PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા

ગૃહમંત્રી અમિત શાહે લખ્યું છે કે જગન્નાથ રથયાત્રાના શુભ પ્રસંગે હું ઘણા વર્ષોથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લઈ રહ્યો છું અને દર વખતે અહીં એક અલગ ઉર્જા મળે છે. મને આજે પણ મહાપ્રભુની પૂજા કરવાનો લહાવો મળ્યો છે. મહાપ્રભુ જગન્નાથ હંમેશાં દરેક ઉપર તેમના આશીર્વાદ અને કૃપા બનાવી રાખે.

A 200 રથયાત્રાના પાવન પર્વ પર PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું છે કે મહાપ્રભુ શ્રી જગન્નાથ જીની રથયાત્રાના શુભ પ્રસંગે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ! ભગવાન બલભદ્ર જી, મા સુભદ્રા જી અને મહાપ્રભુ જગન્નાથ જી નો આશીર્વાદ આપણા બધા સાથે હંમેશા રહે. હું ભગવાન જગન્નાથ જી ને સૌ દેશવાસીઓની ખુશી, સમૃદ્ધિ, સુખ અને આરોગ્ય માટે પ્રાર્થના કરું છું. જય જગન્નાથ!

A 201 રથયાત્રાના પાવન પર્વ પર PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભેચ્છા