કોરોના/ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 870 કેસ નોંધાયા, જયારે 13 દર્દીના મોત થયા

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ જઇ રહી છે. રાજ્યમાં આજે કોરોનાના નવા એક હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે

Top Stories Gujarat
Untitled 68 6 રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 870 કેસ નોંધાયા, જયારે 13 દર્દીના મોત થયા

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ જઇ રહી છે. રાજ્યમાં આજે કોરોનાના નવા એક હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 870 કેસ નોંધાયા છે તેમજ  13 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

આ પણ  વાંચો:IPL / KKRને મળ્યો નવો કેપ્ટન, આ દિગ્ગજને મળી જવાબદારી

રાજ્યમાં આજે કોરોનાના માત્ર 870 કેસ આવ્યા હતા. તો બીજી તરફ 2221 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ  12,00,204દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આ પણ  વાંચો:Helpline Number / યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારતે 24 કલાક હેલ્પલાઈન શરૂ, ઈમેલ પર પણ લઈ શકાશે માહિતી

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 8014 દર્દીઓ એક્ટિવ કેસ છે. જે પૈકી 53 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 7961નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 1200204 દર્દી સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10864 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 13 નાગરિકોનાં મોત થયા હતા.