શું તમે જાણો છો કે તમે સફરજન અથવા ફળો પર મીણ કેમ લગાવવામાં આવે છે. ..? નિષ્ણાતોના મતે, લગભગ દરેક ફળમાં કુદરતી મીણનું સ્તર હોય છે. આ મીણનો ઉપયોગ લગભગ 100 વર્ષોથી વિશ્વમાં કરવામાં આવી રહ્યો છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ફળો પર વનસ્પતિ મીણનો ઉપયોગ કરી શકાય છે. કુદરતી મીણ શાકભાજી, કઠોળ, ખનિજો, ચરબી અને ફળોમાંથી મેળવવામાં આવે છે.
કૃત્રિમ રંગો અને રસાયણો મિશ્રિત ફળો અને શાકભાજી વેચવાની પ્રથા સામાન્ય છે, પરંતુ કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાન આ બાબતે ઘેરાયા છે. તેમણે સફરજન ખાવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમના સ્ટાફે સફરજન ધોવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે સફરજનને ધોવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે સફરજન પાણીથી ધોતી વખતે હાથથી લપસી રહ્યું હતું. આ પછી, સ્ટાફે છરીથી સફરજનને ખોતરવાનું શરૂ કર્યું તો તેણીઉપર મીણ નું કોટિંગ હતું. આ પછી ફળ વેચનાર પર કાર્યવાહી કરવામાં આવી હતી.
શું તમે જાણો છો કે તમે સફરજન અથવા ફળો પર મીણ કેમ લગાવવામાં આવે છે..?? નિષ્ણાતોના મતે, લગભગ દરેક ફળમાં કુદરતી મીણનું સ્તર હોય છે. પરંતુ ફળો પર વધારાનું મીણનું સ્તર ઉમેરવાની પ્રક્રિયા વિશ્વમાં લગભગ 100 વર્ષોથી ચાલી રહી છે. કુદરતી મીણનું સ્તર ફળના પેકેજિંગને અથવા તેને તોડવાની પ્ર્કિર્યમાં ઘસાઈને નીકળી જાય છે.
ત્યારબાદ દુનિયાની દરેક સરકારે ફળો પર મીણ લગાવવાની મંજૂરી આપી જેથી તે વધુ દિવસો સુધી સલામત રહે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) ના અનુસાર, ફળો પર વનસ્પતિ મીણનો ઉપયોગ કરી શકાય છે. કુદરતી મીણ શાકભાજી, કઠોળ, ખનિજો, ચરબી અને ફળોમાંથી મેળવવામાં આવે છે. ભારતમાં મોટાભાગના ફળો પર, ખજૂરના પાંદડામાંથી મળતા કૈરોનોબા મીણનું કોટિંગ હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.