કર્ણાટકનાં બેલાગવી જિલ્લામાં રવિવારે વહીવટીતંત્ર દ્વારા મારાડીમઠને સીલ કરી દેવામાં આવી હતી. શનિવારે હજારો લોકો સ્થાનિક દેવતાને સમર્પિત ‘પવિત્ર ઘોડા’નાં મૃત્યુ બાદ અંતિમ વિદાય આપવા માટે એકત્ર થયા હતા. મારાડીમઠ ગામનાં કાદાસિદ્દેશ્વર આશ્રમ સાથે સંકળાયેલા ઘોડાનું શુક્રવારે રાત્રે મોત નીપજ્યું હતું.
Interesting / રાજસ્થાનમાં આવેલો ભાનગઢ કિલ્લો ભારતનો છે Most Haunted Place, જાણો તેના વિશે
આ ઘોડાની અંતિમ યાત્રા નીકળી ત્યારે હજારો લોકો તેમા જોડાયા હતા. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો વાયરલ થતાં વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. સત્તાવાળાઓએ 400 જેટલા ઘરો ધરાવતા મારાડીમઠને સીલ કરી દીધું છે. કન્નુરનાં તહસીલદાર પ્રકાશ હોલેપ્પાગોલે જણાવ્યું હતું કે, જો ગામમાં અવર-જવર સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવેલ છે તો તમામ લોકોનાં કોવિડ-19 ટેસ્ટ પણ કરાશે. ગયા અઠવાડિયે, ગામલોકોએ આશ્રમનાં ઘોડાને આ પ્રાર્થના સાથે છોડી દીધો કે તે વિશ્વને કોરોના વાયરસથી મુક્ત કરશે. શુક્રવારે રાત્રે ગામમાં બે દિવસ ભટક્યા બાદ તેનું મોત નીપજ્યું હતું.
OMG! / આ મોડેલ જેનો એક પગ છે 45 કિલોનો, છતા જીવે છે બિંદાસ્ત જીંદગી
શનિવારે પાવડેશ્વર સ્વામી દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ મુલાકાતમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના પર લાદવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું હતું. દરમિયાન, રાજ્યનાં મહેસૂલ પ્રધાન આર અશોકલે રવિવારે કહ્યું હતું કે, કોવિડ-19 નું સ્પોટ પરીક્ષણ કર્ણાટકનાં આજુબાજુનાં ગામોમાં કરવામાં આવશે. ઠેર ઠેર તપાસ માટે એક ટીમ બનાવવામાં આવશે.