સુરેન્દ્રનગર/ ઝાલાવાડના લટુડા ગામની મહિલાઓએ તેમના ગામને કોરોના મૂક્ત બનાવવા લીધી આગેવાની

સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર મુખ્યમંત્રીશ્રીના ‘‘મારૂં ગામ કોરોના મુક્ત ગામ’’ ના મંત્રને ચરિતાર્થ કરવા નિગરાની સમિતી બનાવી ગામમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કમર કસતી મુઠી ઉંચેરી મહિલાઓ ભારતીય સંસ્કૃતિમાં અનાદિકાળથી માતૃશક્તિને અનેરૂં સ્થાન આપવામાં આવ્યું છે. બાળકમાં નાનપણથી જ સુ-સંસ્કારિતાનું સિંચન કરી સમગ્ર સમાજને સંસ્કારીતતાના પાઠ ભણાવવાનું કાર્ય માતૃશક્તિ રૂપી મહિલાઓ […]

Gujarat Others
Untitled 281 ઝાલાવાડના લટુડા ગામની મહિલાઓએ તેમના ગામને કોરોના મૂક્ત બનાવવા લીધી આગેવાની

સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

મુખ્યમંત્રીશ્રીના ‘‘મારૂં ગામ કોરોના મુક્ત ગામ’’ ના મંત્રને ચરિતાર્થ કરવા નિગરાની સમિતી બનાવી ગામમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કમર કસતી મુઠી ઉંચેરી મહિલાઓ

ભારતીય સંસ્કૃતિમાં અનાદિકાળથી માતૃશક્તિને અનેરૂં સ્થાન આપવામાં આવ્યું છે. બાળકમાં નાનપણથી જ સુ-સંસ્કારિતાનું સિંચન કરી સમગ્ર સમાજને સંસ્કારીતતાના પાઠ ભણાવવાનું કાર્ય માતૃશક્તિ રૂપી મહિલાઓ સુપેરે કરતી હોય છે. કુદરતી આફત કે માનવ સર્જીત આપત્તિઓના વિકટ સમયમાં પણ સમાજને આફત – આપત્તિઓમાંથી બહાર લાવવા પુરૂષની સાથે ખભે ખભા મિલાવી અનેક દાયકાઓથી મહિલાઓ કાર્ય કરી રહી છે. કોરોનાના આ કપરા સમયમાં પણ ઝાલાવાડમાં આવેલા નાનકડા એવા ગામ લટુડાની મહિલાઓ તેમના ગામ – સમાજને કોરોના મૂક્ત બનાવવાના કાર્ય થકી અન્યો માટે ઉદાહરણરૂપ બની રહી છે.
આજે સમગ્ર વિશ્વ સમક્ષ કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, તેવા સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે 2500 ની વસતી ધરાવતાં લટુડા ગામની જાગૃત મહિલાઓએ તેમના ગામમાંથી કોરોનાના સંક્રમણને દૂર કરવા અને ગામને કોરોના મૂક્ત રાખવા કમર કસી છે.
લટુડા ગામને કોરોના મૂક્ત રાખવા ગામના સરપંચ, ઉપસરપંચ, તલાટી મંત્રીશ્રી, શાળાના આચાર્યશ્રી, શિક્ષક, ફિમેઈલ હેલ્થ વર્કર અને આશાવર્કર સહિતના બહેનો આગળ આવ્યા.

ગત વર્ષે કોરોનાના સંક્રમણને ધ્યાને ગામના તલાટી બહેન સાથે મળી અમે અમારા ગામને એકથી વધુ વખત સેનેટાઈઝ કરાવવાની સાથે આરોગ્ય વિભાગ, શાળાના આચાર્ય – શિક્ષકો તેમજ આંગણવાડી વર્કર અને આશા બહેનો સાથે સંકલનમાં રહીને સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી. આ વર્ષે પણ આ તમામ કામગીરી ઉપરાંત ગામના કોઈ વ્યક્તિ કોરોના પોઝીટીવ આવે તેવા સમયે આરોગ્ય વિભાગને જાણ કરી દર્દીને હોમ આઈસોલેશનમાં જ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

ગામને કોરોનાના સંક્રમણથી બચાવવાનું કાર્ય વધુ સારી રીતે થઈ શકે તે માટે ૧૦ સભ્યોની નિગરાની સમિતિની પણ રચના કરી તમામ કામ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે.આરોગ્ય વિભાગ દ્વારા પણ આ ગામમાં સર્વેલન્સની કામગીરીની સાથે કોરોના સંક્રમિત વ્યક્તિના ઘરની મુલાકાત લઈ તેમને હોમ આઈસોલેટમાં રાખી જરૂરી દવા આપવામાં આવે છે. ગામમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે વેકસીનેશનની કામગીરી સઘન બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં ૬૦ વર્ષથી વધુ વયના વ્યક્તિઓને રસી આપી જ્યારે ૪૫ વર્ષથી વધુ વયના લોકોને પણ રસી આપવામાં આવી છે.
ગામમાં તલાટી તરિકે ફરજ બજાવતા હેતલબેન મોરી કહે છે, ગ્રામજનોના સાથ – સહકારથી પંચાયત દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. પ્રથમ લહેર આવી ત્યારથી અત્યાર સુધી ગામને સમયાંતરે સેનેટાઈઝ કરવામાં આવ્યું છે, તથા હાલની પરિસ્થિતીને ધ્યાને લઈ ગામની શાળામાં ૪ બેડનું આઈસોલેશન સેન્ટર પણ ઉભૂ કરવામાં આવ્યું છે. ગામના જે દર્દીને ઘરમાં હોમઆઈસોલેશનમાં રહેવાની સગવડ ન હોય તેવા લોકો આ સેન્ટરમાં રહી શકે છે. જેમાં બેડ, દવાઓ, ઓકસીમીટર, સહિતની આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ પણ અમે ઉપલબ્ધ બનાવી છે.

ગામમાં આવેલ શાળાના આચાર્ય હિનાબેન ઉપાધ્યાય કહે છે કે, ગામને કોરોના સંક્રમણથી બચાવવામાં શાળાની પણ ભૂમિકા મહત્વની રહી છે. શાળા દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેકવિધ કાર્ય કરવામાં આવ્યા છે. શાળાને સેનેટાઈઝ કરવાની સાથે બહારથી શાળામાં આવતા વ્યક્તિ સેનેટાઈઝ થઈને જ પ્રવેશ કરે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એટલું જ નહી પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે, શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓનું વોટસએપ ગ્રુપ બનાવી અમે આ ગ્રુપના માધ્યમથી વાલીઓને કોરોના સામે રક્ષણ કેવી રીતે મેળવી શકાય ? તે બાબતના સંદેશાઓ મોકલી તેમને જાગૃત કર્યા હતા.