Dharma & Bhakti News: હિંદુ નવા વર્ષની શરૂઆત આ વર્ષે ચાર શુભ યોગોમાં થવાની છે. આ ચાર યોગ છે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, સિદ્ધિ યોગ, વૈદ્યતિ યોગ. તેમજ રેવતી નક્ષત્ર પણ રહેશે. ધન લગ્ન હોવાથી ઉત્તર પૂર્વ દિશામાં સુખ, સમૃદ્ધિ રહેશે. મધ્કયક્ષેત્રમાં વરસાદ વધુ રહેશે. પશ્ચિમમાં ખાદ્ય વસ્તુઓ સસ્તી થશે.
હવામાન પર તેની અસર
આ શુભ યોગો બનવા જઈ રહ્યા છે જેથી નવું વર્ષ શુભ રહેશે. મંગળ દેવતાનો પ્રભાવ પણ બની રહેશે. હવામાનમાં અનિશ્ચિતતાના વાદળો છવાયા રહેશે. ભીષણ ગરમી, અતિવૃષ્ટિ જેવી સ્થિતિ બની રહેશે.
પંચાગના મુજબ હિંદુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય છે. આ વર્ષે 9મી એપ્રિલે નવું વર્ષ કે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવશે. માતા દુર્ગાની કળશ સ્થાપના કરવામાં આવશે.
નવરાત્રિ કળશ સ્થાપના સમય
નવરાત્રિ કળશ સ્થાપનાનો સમય 50 મિનિટ છે. 9મી એપ્રિલે સવારે 6 વાગ્યા ને 12 મિનિટથી 10 વાગ્યે 23 મિનિટ સુધી રહેશે. સામાન્ય મુહૂર્ત 4 કલાક 11 મિનિટનો સમય છે. પરંતુ કળશ સ્થાપના માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્ત પર બપોરે 12 વાગ્યાથી 12 કલાક અને 53 મિનિટ સુધી રહેશે. 50 મિનિટ સૌથી સારૂ મુહૂર્ત છે.
આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચી અરજી, જાણો શું કરી દલીલ
આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક
આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું