જામનગર/ આ વ્યક્તિએ ઘરઆંગણે જ કર્યો મતાધિકારનો ઉપયોગ, ચૂંટણીપંચે કરી ખાસ વ્યવસ્થા

સગા સંબંધી કે નાત-જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને પોતાનો મત આપવો જોઈએ – જામસાહેબ શત્રુશૈલ્યસિંહ

Gujarat Others
જામસાહેબ

જામનગરમાં રહેતા જામસાહેબ નામના મતદાર દ્વારા પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘર આંગણે જ, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે વ્યક્તિ 80 વર્ષથી વધુ ઉંમરના હોય અથવા તો દિવ્યાંગ તથા કોવિડ ગ્રસ્ત વ્યક્તિ હોય, તે પોતાનો મત ઘરેથી આપીને  મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.જેને લઇને ચુંટણી પંચ દ્વારા અલગ સુવિધા કરવવામાં આવી છે. અને આ સુવિધાનો લાભ લઇને વરિષ્ઠ મતદાર જામસાહેબ દ્વારા ટપાલના માધ્યમથી પોતાનો મત આપ્યો હતો.અને લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો હતો.

“આપણા દેશને લોકશાહી મળતા આપણને સૌને મતદાન કરવાનો હક મળ્યો છે ત્યારે દરેક નાગરિકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે…. આંખ બંધ કરી સગા-સંબંધી કે નાત-જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ”.આ શબ્દો છે.જામનગરના જામ સાહેબ શત્રુશૈલ્યજીસિંહજીના કે જેઓએ આજરોજ ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી વિધાનસભા 2022 ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં એક પણ મતદાર ન છૂટે અને 100 ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડ ગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.

ત્યારે આજરોજ જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પણ ચૂંટણી અધિકારી-78 તથા પ્રાંત અધિકારી ડી.ડી. શાહ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધા મારફત પોતાના નિવાસ્થાનેથી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો….

આ સુવિધા હેઠળ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ સમગ્ર જામનગર જિલ્લામાંથી ચૂંટણી તંત્ર દ્વારા 442 નિર્દિષ્ટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી જે મતદારોને આગામી એક અઠવાડિયા દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે.

આ પણ વાંચો:મોરબી બ્રિજ અકસ્માતમાં SCએ હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર, કહ્યું- ગુજરાત HC….

આ પણ વાંચો:પત્ની સહિત 4 પુત્રોની હત્યા કર્યા બાદ પતિએ કરી આત્મહત્યા

આ પણ વાંચો:મારું સદ્ભાગ્ય છે કે સંતોએ મને આશીર્વાદ આપ્યા : PM નરેન્દ્ર મોદીજામનગરના આ વ્યક્તિએ ઘરઆંગણે જ કર્યો મતાધિકારનો ઉપયોગ, ચૂંટણીપંચે કરી ખાસ વ્યવસ્થા