ધાનેરા નગરપાલિકા માં કોંગ્રેસ ના 17 સદસ્યો સસ્પેન્ડ થતા ભાજપ ના જ્યોત્સનાબેન ત્રિવેદી બન્યા કાર્યકારી પ્રમુખ.વિધિવત રીતે નગરપાલિકા માં ભાજપએ ચાર્જ લેતા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ધાનેરા નગરપાલિકા કોંગ્રેસના 17 સભ્યો વિકાસ કામગીરી માં ગેરરીતિ બાબતે કમિશનર એ સસ્પેન્ડ કરતા જિલ્લા કલેકટર એ કાર્યકારી પ્રમુખ તરીકે ની જવાબદારી ભાજપ ના સદસ્ય જ્યોસનાબેન ત્રિવેદી ને સોંપતા આજે જેઓ એ નગરપાલિકમાં પ્રમુખ તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો પૂર્વ મંત્રી હરજીવન પટેલ સહિત અન્ય ભાજપ હોદેદારો એ હાજરી નોંધાવી હતી.
કોંગ્રેસ ની બહુમતી હોવા છતાં 17 સદસ્ય સસ્પેન્ડ થતા વિરોધપક્ષ ની ભૂમિકામાં રહેલું ભાજપ સતા સ્થાને આવી ગયું છે ત્યારે ભાજપ ના તમામ કાર્યકર્તા માં ઉત્સાહ નો માહોલ છવાઈ જવા પામ્યો છે બીજી તરફ કોંગ્રેસ ના સદસ્યો સસ્પેન્ટ થતા કોંગ્રેસ સ્ટે લાવે છે કે ફરી ચૂંટણી આવે છે એ બાબત ની હાલ ચર્ચા એ જોર પકડ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…