જયપુરઃ રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં અમદાવાદના એક જ કુટુંબના ત્રણના મોત નીપજ્યા છે. અમદાવાદથી હરિદ્વાર જતાં પરિવારને અકસ્માત નડતા ત્રણના મોત થયા હતા અને પાંચને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે બાંદીકુઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નીલગાયને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે.
અમદાવાદથી હરિદ્વાર જતાં એક કુટુંબને રાજસ્થાનના દૌસામાં અકસ્માત નડ્યો હતો, જેમા ત્રણ લોકોના મોત થયા છે. નીલ ગાયને બચાવવાના ચક્કરમાં આ અકસ્માત થયો હતો.
#WATCH | Dausa, Rajasthan: Accident on Delhi-Mumbai Expressway claims life of three people of the same family. pic.twitter.com/gt6872DCr8
— ANI (@ANI) May 12, 2024
પોલીસના જણાવ્યા મુજબ કારમાં સવાર થઈ આઠ જણા અમદાવાદથી હરિદ્વાર જતાં હતા આ દરમિયાન આભાનેરી પાસે નીલગાય રસ્તા પર આવી ગઈ હતી. તેને બચાવવાના ચક્કરમાં કાર બેકાબુ થઈ પલ્ટી મારી ગઈ હતી. તેમા પતિપત્ની સહિત ત્રણ લોકોના મોત થયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ અધિકારી જવાનસિંહે જણાવ્યું હતું કે એક કુટુંબ અમદાવાદથી હરિદ્વાર જતું હતું. આ દરમિયાન તેમની કાર સામે એક ગાય આવી જતા તેમણએ કારને રોડની સાઇડમાં ઊભી કરી દીધી હતી. કારની બહાર તે ઊભા હતા. તે સમયે એક ટ્રકે તેમને ટક્કર મારી હતી, તેમા ત્રણના મોત થયા હતા. પોલીસે ટક્કર મારનારા ટ્રક ચાલકની શોધ આદરી છે.
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ
આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ