વાઘની હાલની પરિસ્થિતિ સાબિત કરે છે કે ભારત વિશ્વભરમાં જંગલના રાજાનું પ્રિય અને સલામત સ્થળ બની રહ્યું છે. શું તમે જાણો છો, ભારત દર વર્ષે ચંદ્રયાન -2 ના લોન્ચિંગ કરતા વધારે વાઘના સંરક્ષણ પાછળ ખર્ચ કરે છે? એટલું જ નહીં, વાઘના સંરક્ષણથી દેશને જે ફાયદા થાય છે, તે કોઈ પણ અવકાશ મિશન કરતા ઘણા વધારે છે. ભારતમાં વાઘની વધતી સંખ્યા એ સચ્ચાઈનો સંકેત છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે અન્ય દેશોની તુલનામાં વાઘ સંરક્ષણ પર સખત મહેનત કરી છે.
ચંદ્રયાન-2ના લોચિંગથી મોંઘી છે વાઘની સુરક્ષા….
નાણાકીય વર્ષ 2019 – 20 માટે કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રાલયનું કુલ બજેટ 3111.20 કરોડ રૂપિયા છે. વર્ષ 2018-19માં મંત્રાલયનું કુલ બજેટ 2586.67 કરોડ રૂપિયા હતું. ચાલુ નાણાંકીય વર્ષમાં અગાઉના નાણાકીય વર્ષની તુલનાએ, કેન્દ્ર સરકારે પર્યાવરણ અને વન મંત્રાલયના બજેટમાં 20.27 ટકાનો વધારો કર્યો છે. તેમાંથી વાઘના સંરક્ષણ માટેનું વાર્ષિક બજેટ રૂ. 350 કરોડ છે, જ્યારે હાથીઓના રક્ષણ માટેનું વાર્ષિક બજેટ 30 કરોડ રૂપિયા છે. છેલ્લા નાણાકીય વર્ષમાં વાઘ અને હાથીઓની ,સંરક્ષણનો બજેટ એટલો જ હતો. આ ઉપરાંત રાજ્ય સરકાર, ખાનગી કંપનીઓ અને બિન-સરકારી સંસ્થાઓ દ્વારા વાઘના સંરક્ષણ પાછળ વાર્ષિક 100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. 22 જુલાઇએ લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયણ -2 મિશનનું કુલ બજેટ 978 કરોડ છે. આમાંથી, ચંદ્રયણ -2 ની લોંચિંગ માટેનો બજેટ રૂ. 375 કરોડ છે, જ્યારે ચંદ્રયાન -2 ના અવકાશ મિશન અને તેની તૈયારીઓ પર રૂ. 603 કરોડનો ખર્ચ કરવામાં આવે છે.
આ છે વાઘની પ્રજાતિઓ…
જો જીવીત વાધની પ્રજાતિઓ વિશે વાત કરીએ ત ભારતમાં સાઇબેરીયન ટાઇગર, રોયલ બંગાળ ટાઇગર, વ્હાઇટ ટાઇગર, આઇડોચાઈનીજ ટાઇગર, મલાયન ટાઇગર, સુમાત્રન ટાઇગર જેવા વાઘ જીવીત છે.. જ્યારે કેટલાક વાઘની જાતીઓ લુપ્ત થઈ ગઈ છે.. જેમાં બાલી ટાઇગર, કેસ્પિયન ટાઇગર, જાવન ટાઇગર જેવી જાતીઓ હવે અસ્તીત્વમાં નથી ..
1973માં શરૂઆત થઈ પ્રોજેક્ટ ટાઈગર……
દેશમાં પહેલાના સમયમાં વાઘની વસ્તી 40,000 થી વધુ હતી. 1900 ના દાયકાના મધ્ય સમયમાં, વાઘની વસ્તી જંગલી શિકારને કારણે ઘટતી ગઈ.. તેને ધ્યાનમાં રાખીને તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ 1973 માં દેશમાં પ્રોજેક્ટ ટાઇગરની શરૂઆત કરી હતી.. સાથો સાથ દેશમાં વાઘના શિકાર પર પ્રતિબંધ મૂકવાની પ્રણાલી અને તેમના સંરક્ષણને લઈ નિયમ લાગુ કરવામાં આવ્યો.. આ પ્રોજેક્ટનું લક્ષ્ય વાઘની વસતી વધારવા અને તેમને સુરક્ષિત રહેઠાણ આપવાનું હતું.
વાઘોના સંરક્ષણથી થાય છે લાભ…..
વાઘના સંરક્ષણથી ભારતીય અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપવામાં આવ્યું છે. વાઘના આર્થિક ફાયદાઓને આધારે, આ અભ્યાસ ભોપાલ ઇન્સ્ટિટ્યૂટ ફોરેસ્ટ મેનેજમેન્ટના પ્રોફેસરની આગેવાનીમાં ભારતીય અને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોની ટીમે હાથ ધર્યો હતો. આ અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું હતું કે વાઘનું રક્ષણ કરવાથી મંગળ મિશન કરતા વધારે મૂડી લાભ મળે છે. જો દેશમાં વાઘની તમામ વસ્તીને લઈએ તો વાઘની વસ્તી ભારતીય અર્થવ્યવસ્થામાં વાર્ષોથી વાર્ષિક રૂ. 5.7 લાખ કરોડનો ફાયદો કરાવી રહી છે.એટલા માટે વાઘોનો સંરક્ષણ ખુબજ જરૂરી બન્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.