અમદાવાદમાં બેકાબુ બની ગયેલા કોરોના વાયરસને ડામવા માટે પ્રસાશન દ્વારા મસમોટો નિર્ણય લેવામાં આવતા શહેરના દરેક વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની હેર કટિંગની દુકાનોને તાત્કાલિક ધોરણએ બંધ કરાવામાં આવતા હેર કટિંગના દુકાનદારોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ હતી.
કોરોના વાયરસને રોકવા માટે આ નિર્ણયને અપનાવામાં આવ્યું છે જેથી કરીને લોકો પોતાના ઘરમાં રહે અને બહાર નીકળવાનું ટાળે. કોરોના વાયરસના કીટાણુ હવામાં ફેલાઈ ગયા બાદ લોકોના શરીર ઉપર ચોંટતા હોવાથી કોર્પોરેશનએ હેર કટિંગની દુકાનોને બંધ કરવામાં આવી છે.
શહેરના અનેક વિસ્તારોમાં સલૂન બંધ કરાતા લોકોએ પોતાના ઘરમાં દાઢી બનાવવા માટે હેર કટિંગ મશીનની ખરીધી કરી રહ્યા છે. જેથી થોડાક દિવસો સુધી તેઓ પોતાના ઘરમાં જ પોતાના હાથથી દાઢી બનાવી શકે અને કોરોનાના ચેપથી બચી શકે.