ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,246 નવા કેસ સામે આવ્યા છે. તો સાથે 71 દર્દીના મોત થયા છે. આજે રાજ્યમાં 9,001 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 7,71,447 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે.. એક્ટિવ કેસનો આંકડો 92,617,પર પહોંચ્યો છે.
જેમાં વડોદરામાં 3, જૂનાગઢમાં 4, પંચમહાલમાં 1, આણંદમાં 3, રાજકોટમાં 3, અમરેલીમાં 2, સાબરકાંઠામાં 1, પોરબંદરમાં 1, કચ્છમાં 1, ખેડામાં 1, ભરૂચમાં 3, મહેસાણામાં 3, બનાસકાંઠામાં 3, સુરતમાં 2, જામનગરમાં 1, નર્મદામાં 1, દેવભૂમી દ્વારકામાં 1, ગાંધીનગરમાં 2, અરવલ્લીમાં 1, અમદાવાદમાં 1, સુરેન્દ્રનગરમાં 1 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 71 દર્દીઓના મોત થયા છે