Not Set/ આજે કેસો 13,000ને પાર,137 દર્દીના મોત

રાજ્યમાં કોરોના કેસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13105 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 137 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 5010 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 4 લાખ 53 હજાર 836 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાને કારણે અત્યાર […]

Top Stories Gujarat
Untitled 290 આજે કેસો 13,000ને પાર,137 દર્દીના મોત

રાજ્યમાં કોરોના કેસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13105 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 137 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 5010 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 4 લાખ 53 હજાર 836 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાને કારણે અત્યાર સુધી 5877 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 78.41 ટકાએ પહોંચી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 5142 નવા કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 1958, રાજકોટ શહેરમાં 697, વડોદરા શહેરમાં 598, સુરત ગ્રામ્યમાં 518, મહેસાણા 444, જામનગર શહેર 336, બનાસકાંઠા 236, જામનગર ગ્રામ્ય 228, કચ્છ 214, વડોદરા ગ્રામ્યમાં 183 કેસ સામે આવ્યા છે.