Ahmedabad News : રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે જગતના નાથનું મામેરૂ દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ભક્તો આ અલૈકિક મામેરાના દર્શન કરી શકશે,યજમાન ત્રિવેદી પરિવાર દ્વારા નાથનું મામેરૂં ભરવામાં આવશે.આ મામેરામાં આભૂષણો વાઘા અને પાઘડીઓ કરાશે અર્પણ. તે સિવાય સોના-ચાંદીના હાર સહિત શૃંગારનોનો સમાન અર્પણ કરવામાં આવશે.
જેને માટે જગન્નાથ મંદિરમાં મામેરા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે નાથના મામેરા દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જેમાં ભજન મંડળીઓના તાલે ભકતોએ મામેરાના દર્શન કરયા હતા.તે સિવાય ભગવાન જગન્નાથજી માટે સુંદર વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.યજમાન પરિવારે સોનાની નથણી પણ તૈયાર કરી છે.
આમ સોના ચાંદીના અલૌકીક આભૂષણોથી નાથનું મામેરૂ થશે. બીજીતરફ મોસાળવાસીઓ ભગવાનું મામેરું કરવા સજ્જ થઈ ગયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં CBI ના અધિકારીની ઓળખ આપીને યુવક સાથે 2.92 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: સ્ત્રી શક્તિ યોજના હેઠળ લોન કૌભાંડમાં અમદાવાદના દંપતીએ રૂ. 2.24 લાખની છેતરપિંડી કરી
આ પણ વાંચો: અમદાવાદમાં ચાલતા કેનેડા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, અનેક લોકો સાથે છેતરપિંડી
