કાસગંજ.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યાનાથનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો જયારે તેમના હેલીકોપ્ટરને લેંડ કરવામાં ઘણી મુશ્કેલી પડી આવી હતી. ત્યાં જ પ્રશાસનની આવી બેદરકારીના કારણે અધિકારીઓના હોશ ઉડી ગયા હતા. ત્યારે પાયલોટની સમજદારી સીએમ યોગી આદિત્યનાથને કામ લાગી હતી, અને તેમને સુરક્ષિત રીતે લેંડ કરાવ્યા હતા.
પ્રમુખ સચિવ (ગૃહ) અરવિંદ કુમારે લખનૌમાં જણાવ્યું હતું કે, તેઓ ઠીક છે અને પોતાના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ વધ્યા છે. હેલીકોપ્ટર જે ખેતરમાં ઉતારવામાં આવ્યું હતું તે અસ્થાઈ રીતે હેલીપેડ છે ત્તાથી એક કિલોમીટર આગળ છે. મુખ્યમંત્રી કાસગંજના એક દિવસીય તપાસ પર આવ્યા હતા.
તેમને સહાવાર તાલુકાના ફરૌલી ગામમાં એ પરિવારના લોકો સાથે મુલાકાત કરી જેમના ત્રણેય સદસ્યોની હત્યા થઇ ગઈ હતી. યોગીએ કાનુન વ્યવસ્થા સિવાય જીલ્લાના વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી હતી. કાસગંજનાં પોલીસ અધિકારી પીયુશે ભાષાણે બતાવ્યું હતું કે મુખ્યમંત્રીએ ચેક વિતરણ કર્યા અને તેમના બધા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયા હતા.