બળાત્કાર કેસ/ ટ્રસ્ટી રાજુ ભટ્ટના ચહેરા ઉપર હવે “પાપનો ઘડો છલકાઈ” ગયો હોવાના ભયભીત પસ્તાવો 

મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે બળાત્કાર જેવો અધમ આરોપ લાગ્યા બાદ તેના ઘરેથી પોલીસ તંત્રના સર્ચ ઓપરેશન દરમિયાન વિદેશી બ્રાન્ડની શરાબની બોટલો મળી આવી

Gujarat
guajarat ટ્રસ્ટી રાજુ ભટ્ટના ચહેરા ઉપર હવે "પાપનો ઘડો છલકાઈ" ગયો હોવાના ભયભીત પસ્તાવો 

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાલી મંદિર ટ્રસ્ટના સર્વેસર્વા બની બેઠેલા ટ્રસ્ટી રાજુ ભટ્ટ જે સુખ સાહબીના દમદાર વહીવટમાં રાજકીય અગ્રણીઓ સાથે ફરતા હતા અને પરિચિત પોલીસ અધિકારીઓ પણ રાજુભાઈને અચ્છૌવાના કરતા નજરે પડતા હતા,આ મંદિર ટ્રસ્ટના લંપટ રાજુ ભટ્ટ બળાત્કારના આરોપ સાથે જુનાગઢ ખાતેથી ઝડપાઈ ગયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે લાવવામાં આવતા રાજુ ભટ્ટનો અભિમાની ચહેરો જાણે કે “પાપનો ઘડો છલકાઈ”ગયો હોવાના પસ્તાવા જેવો દેખાતો હતો.!!

વડોદરા સ્થિત ગોત્રી પોલીસ સ્ટેશનમાં કાયદાનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ જાતિય અત્યાચાર સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની આપેલ ફરીયાદમાં પાવાગઢ મહાકાલી માતાજીના મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ આરોપી બનતા વડોદરાનો આ બળાત્કાર કાંડ ગાંધીનગર સુધી હાઈપ્રોફાઈલ ચર્ચાઓમાં ફેરવાઈ ગયો હતો.

સાથોસાથ પવિત્ર એવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે બળાત્કાર જેવો અધમ આરોપ લાગ્યા બાદ તેના ઘરેથી પોલીસ તંત્રના સર્ચ ઓપરેશન દરમિયાન વિદેશી બ્રાન્ડની શરાબની બોટલો મળી આવે આ ઘટનાની ખબરોથી મહાકાલી માતાજીના લાખ્ખો શ્રદ્ધાળુઓ આઘાતમાં સરકી ગયા છે.પરંતુ રાજુ ભટ્ટને મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીપદે યથાવત રાખવાના ચેરમેન સુરેન્દ્રકાકાના ઉચ્ચારણો બાદ ગુજરાત ભા.જ.પ.સરકારના સંબંધિત સત્તાધીશો પણ સમાજની નજરોમાં જે ગુન્હો કાયદાની કલમો કરતા પણ વધારે ગંભીર છે એવા દુષ્કર્મના આરોપનો સામનો કરીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી ગયેલા રાજુ ભટ્ટની ટ્રસ્ટીપદેથી હકાલપટ્ટી કરવાના બદલે જે મૌન ધારણ કર્યુ છે, આ રહસ્યો પણ ઘણા સૂચક હોવાની ચર્ચાઓ એટલા માટે છે કે,”રાજુ ભટ્ટની રંગીન લાઈફ સ્ટાઈલ” ની સેવાઓમાં ભલભલા રંગાઈ ગયા હોવાની મહેમાનગતિઓ સામેલ હશે.?!!

રાજુ ભટ્ટના ગંભીર અપરાધ સામે ચેરીટી કમિશનર કચેરીના સાહેબોનું મૌન પણ સૂચક છે.?!!

પાવાગઢ મહાકાલી માતાજીના મંદિર ટ્રસ્ટના વહીવટી કાર્યભાર ઉપર નજર રાખનાર ગોધરા સ્થિત મદદનીશ ચેરીટી કમિશનર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે નૈતિક અધઃપતનના બળાત્કારનો ગુન્હો દાખલ થયા બાદ તાત્કાલિક રાજુ ભટ્ટને ટ્રસ્ટીપદેથી દૂર કરીને મંદિર પરિસરની પ્રતિષ્ઠાઓ બચાવવાની કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરવી જરૂરી છે. પરંતુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટનુ ટ્રસ્ટીપદ યથાવત રહેશેના ચેરમેન સુરેન્દ્રકાકાના ઉચ્ચારણો સાંભળ્યા બાદ ચેરીટી કમિશનરના સત્તાધીશો પણ મંદિર ટ્રસ્ટના સર્વેસર્વા ટ્રસ્ટી રાજુ ભટ્ટ સલામત રહે આ માટેના વહીવટી વિચારણાઓના રહસ્યોમાં કહેવાય છે કે, બહુચર્ચિત ચાંદી પ્રકરણને ક્લીન ચિટ આપ્યા બાદ અન્ય ટ્રસ્ટીઓના કમાણીઓના વ્યાપારો સામે જે પ્રમાણે “આંખો બંધ” રાખવામાં આવી હતી આ રાજુ ભટ્ટને ટ્રસ્ટીપદેથી હાંકી કાઢવાનો નિર્ણય લેવો ખૂબ અઘરો દેખાઈ રહયો છે.!