- નવસારીના ખેરગામમાં MLA પર હુમલાનો મામલો
- PSI એસ.એસ.માલની કરાઈ બદલી
- જિલ્લા પોલીસ વડાએ કરી બદલી
- કાયદો,વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ PSIની બદલી
- શિક્ષાત્મક બદલીથી મહિલા PSIને લિવ રિઝર્વમાં મુક્યા
- ટાઉન PSI જે.વી.ચાવડાની ખેરગામમાં બદલી
- પોલીસ ડિપાર્ટમેન્ટ પર આરોપીને પકડવાનું દબાણ
નવસારીના વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા મામલે PSIની બદલી કરી દેવામાં આવી છે, આ બદલી જિલ્લા પોલીસ અધિકક્ષ દ્રારા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ સબ ઇન્સપેકટર નિષ્ફળ નીવડ્યા છે .એસ.એસ.માલની તત્કાળ આદેશથી બદલી કરી દેવામાં આવી છે. ટાઉન પીએસઆઇ જે.વી.ચાવડાની ખેરગામમાં બદલી કરી દેવામાં આવી છે. આરોપીને પકડવા માટે પોલીસ વિભાગ પર ભારે દબાણ છે .
ઉલ્લેખનીય છે કે ખેરગામમાં કાર્યક્રમમાં જતી વખતે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલામાં તેમની આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી બીજી બાજુ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર પર હુમલાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અનંત પટેલ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો હતો, અનંત પટેલના સમર્થકોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે.