Not Set/ વાપી/ ચણોદ ખાતે બે મહિલાઓની ગોળી મારી હત્યા, બાઇકસવાર શખ્સો ફાયરિંગ કરી ફરાર

વાપી શહેરના ચાણોદ કોલોની વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની છે. જેમાં અજાણ્યા બે બાઇકસવાર શખ્સોએ બે મહિલાઓની હત્યા કરી છે. મહિલાઓ ઘરમાં ટીવી જોતી હતી,  ત્યારે આ શખ્સોએ બંને મહિલાઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી અને ફરાર થઈ ગયા હતા. પોલીસવડા સહિત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન બે જીવતા કારતૂસ પણ […]

Uncategorized
vaapi murder વાપી/ ચણોદ ખાતે બે મહિલાઓની ગોળી મારી હત્યા, બાઇકસવાર શખ્સો ફાયરિંગ કરી ફરાર

વાપી શહેરના ચાણોદ કોલોની વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની છે. જેમાં અજાણ્યા બે બાઇકસવાર શખ્સોએ બે મહિલાઓની હત્યા કરી છે. મહિલાઓ ઘરમાં ટીવી જોતી હતી,  ત્યારે આ શખ્સોએ બંને મહિલાઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી અને ફરાર થઈ ગયા હતા. પોલીસવડા સહિત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા.

બે દિવસ અગાઉ વાપીના એક ફાઇનાન્સ કંપનીમાંથી લૂંટારૂઓએ  રૂપિયા ૧૦ કરોડથી વધારેની લૂંટ કરી ફરાર થઈ ગયા અને હવે ફાયરિંગ કરી બે મહિલાઓની નિર્મમ હત્યા કરી બે બાઈક સવાર ફરાર થઇ ગયા. જે દર્શાવે છે કે, જીલ્લામાં કાયદો વ્યવસ્થાના કેવા હાલ છે. ગુનેગારોમાં પોલીસ કે કાયદાનો કોઈ કોફ રહ્યો નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર વાપીના ચણોદ કોલોનીમાં આવેલા વિવેકાનંદ નગરના સરકારી આવાસોમાં નીચેના માળે રેખાબેન બ્રહ્મદેવ મહેતા નામની એક વિધવા મહિલા એકલવાયું જીવન જીવતી હતી. તેની સાથે મહારાષ્ટ્રથી આવેલી તેણીની સખી દુર્ગાબેન ખડસે પણ ઘરમાં હાજર હતી. જે છેલ્લા કેટલાક દિવસથી તેણીની સાથે રહેવા આવી હતી. આમ બંને મહિલાઓ ઘરમાં બેસી ટીવી જોઇ રહી હતી.

ત્યારે ઘરની બહાર એક બાઈક પર બે બુકાનીધારી અજાણ્યા શખ્સો આવ્યા હતા. જેમાંથી એક શખ્શ બંદૂક જેવા હથિયાર સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ઘરમાં રહેલી બંને મહિલાઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો બાઇક પર ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ અબૈક પર કોઈ જ નમ્બર પ્લેટ લગાવવામાં આવી ના હતા. ઘટનાની જાણ થતાં જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ મકાનમાં રેખાબેન બ્રહ્મદેવ મહેતા નામની વિધવા મહિલા એકલી રહેતી હતી. આ મહિલાને સંતાનમાં એક પરણિત દીકરો છે. જે વહુ સાથે અલગ રહે છે, અને હાલમાં મહિલાની સખી દુર્ગાબેન ખડસે મહારાષ્ટ્રથી આ વિધવા મહિલાની સાથે રહેવા આવી હતી.

હત્યાનું સાચું કારણ જાણવા પોલીસે ફાયરિંગ કરી ફરાર થઈ ગયેલા અજાણ્યા બાઈક સવાર  હત્યારાઓને ઝડપી પાડવા આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી સધન તપાસ હાથ ધરી હતી. તો ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.