NIA સુધારા વિધેયકને રાજ્યસભામાંથી બહાલી આપી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે પૂર્વે 15 તારીખે NIA સુધારા વિધેયક લોકસભામાં રજૂ કરી ચર્ચા પર મુકાયા બાદ, ભારે ચર્ચા અને દલિલો પછી વોટ ઓફ મેજોરીટી સાથે પાસ કરી દેવામા આવ્યું હતું. તો સંસદનાં નિચલા ગૃહ લોક સભામા પાસ થયેલ વિધેયકને રાજ્યસભામાં પણ મુકવામાં આવે છે અને બનેં ગૃહમાંથી પસાર થયા બાદ જ કાયદા તરીકે અમલી કરી શકાતું હોય છે. ત્યારે પ્રક્રિયાનાં ભાગ રુપે NIA સુધારણા બિલ આજે રાજ્યાસભામા મુકવામા આવ્યું હતું અને પૂર્વની જેમ ભારે ચર્ચામાં પણ રહ્યું હતુ.
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ એનઆઈએ (સુધારો) બિલ 2019 પર ચર્ચા દરમિયાન તે વાત પર ભાર મુકતા ઉદાહરણ સાથે કહ્યું હતું કે સંજોતા બ્લાસ્ટનો ભોગ બનેલાઓને આ કાયદો આ પ્રમાણે ન હોવાથી ન્યાય આપવામાં મુશ્કેલી અનુભવાયી હોવાનું સ્પષ્ટ પણે સામે છે. તેનાં માટે કોણ જવાબદાર છે ? આવા ગંભીર કાયદેનો અભાવ જ આ મામલે જવાબદાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.