લખનૌ: યોગી સરકારે અભ્યુદય યોજના શરૂ કરી છે. આ યોજનામાં જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે. તેમને ટેબલેટ ગિફ્ટ આપવામાં આવશે. યોગી સરકારે 10 લાખ યુવાનોને ટેબલેટ આપવાની યોજના બનાવી છે. તાજેતરના બજેટમાં આ જાહેરાત કરવામાં આવી હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં ઉત્તેજના વધી રહી છે. મોટાભાગના યુવાનોએ તેનો લાભ લેવા માટે નોંધણી કરવાની શરૂઆત કરી દીધી છે.
મુખ્યમંત્રી અભ્યુદય યોજનાના અમલીકરણ માટે રચાયેલી રાજ્ય કક્ષાની સમિતિના સભ્ય વિભાગીય કમિશનર લખનઉ રંજન કુમારે જણાવ્યું હતું કે ટેબલેટની ભેટ આપવા માટે પરીક્ષા લેવામાં આવશે અને ટૂંક સમયમાં નિયમો જાહેર કરવામાં આવશે. તાજેતરમાં આ મંચ દ્વારા લગભગ 5 લાખ વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. રંજન કુમારે જણાવ્યું હતું કે અભ્યુદય યોજના અંતર્ગત દરેક વિભાગમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ફરી એકવાર મફત કોચિંગના ક્લાસની અરજીઓ શરૂ થઈ છે.
કોરોનાના વધતા કેસને લઇને આ 10 રાજ્યમાં ટીમ મોકલશે કેન્દ્ર સરકાર
વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ લેવા માંગતા હોય તેઓ http://abhyuday.up.gov.in પર નોંધણી કરાવી શકે છે. લખનઉ મંડલાયુક્તાએ માહિતી આપી હતી કે ટેબલેટ વિતરણ માટેની પરીક્ષાના નિયમો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સિવિલ સર્વિસીસ, જેઇઇ, નીટ, એનડીએ પરીક્ષાઓની કક્ષાની તૈયારી માટેના કોચિંગના ક્લાસ માટે 28 ફેબ્રુઆરીએ રાત્રે 8 વાગ્યા સુધી અરજી કરી શકાશે. આ તારીખ પછી અરજીઓ કરી શકાશે નહીં.
બીજી બાજુ, જે વિદ્યાર્થીઓ પહેલાથી જ ક્લાસ લઈ રહ્યા છે, તેઓએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં. ઉપરાંત, જે વિદ્યાર્થીઓ 28 ફેબ્રુઆરી પહેલા અરજી કરશે તે પરીક્ષા આપી શકશે. જેના માટે સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે.