આપણે જાણીએ છીએ કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા સાથે વિટામિન સી જરુરી હોય છે. તેનાથી રોગની સંભાવનાને પણ ઘટે છે, હાઈ બ્લડ પ્રેશરનું સંચાલન કરવામાં મદદ કરે છે, શરીરમાં આયર્નની ઉણપને રોકવામાં મદદ કરે છે અને લોહીમાં યુરિક એસિડનું સ્તર ઘટાડે છે.
પેઢામાંથી લોહી નિકળતું હોય તો આ ઉપાય અનુસરો
જો તમારા પેઢામાંથી લોહી નીકળતું હોય તો તમારે દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ, કારણ કે તે જીંજીવાઇટિસનું તે લક્ષણ હોઈ શકે છે. જો કે શરીરમાં વિટામિન સી નો અભાવ હોય ત્યારે પણ ઘણી વખત પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે.
જો તમે પણ કાગળના કપમાં ચા પીવાના શોખીન છો તો તમારી આ ટેવને બદલો
જ્યારે પણ કોઈ વ્યક્તિને દાંત અથવા પેઢામાંથી લોહી આવે છે ત્યારે કહીં શકાય છે કે તે વ્યક્તિ સરખી રીતે બ્રશ નથી કરતો અથવા વધારે વખત બ્રશ કરે છે. પરંતુ એ જાણવું મહત્વપૂર્ણ છે કે પેઢામાંથી લોહી શા માટે નીકળે છે. શું શરીરમાં વિટામીન સીનો અભાવ છે?
વિટામિન સી નું સેવન વધારીને આ સમસ્યા દૂર કરી શકાય છે. એક અભ્યાસ અનુસાર પેઢામાંથી લોહી નિકળવું અથવા આંખમાંથી લોહી નિકળવું, તેને રેટિનલ હૈમરેજિંગ કહેવાય છે. વિટામીન સી ની કમી પૂરી કરવાથી અનેક રોગમાંથી મુક્તિ મળે છે.
વિટામીન સી થી ભરપૂર ચીજોનું સેવન કરો
18 થી 65 વર્ષની ઉંમરના લોકોએ દરરોજ 40 મિલિગ્રામ વિટામિન સી સેવન કરવું જરૂરી છે.વિટામિન સી શરીરમાં સંગ્રહિત કરી શકાતું નથી, તેથી તમારે દરરોજ તેની જરૂર પડે છે. નારંગી, મૌસંબી, લીંબુ, આમળા, કીવી જેવા ખાટાં ફળ, પપૈયા, બ્લેકકરન્ટ, કેપ્સિકમ, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, બ્લુબેરી, રાસબરી, બ્રોક્લી ખાવાથી ફાયદો થાય છે.