ભારતમાં કોરોના રસીકરણ 150 મિલિયનની નજીક પહોંચી ગયું છે. કોવિડ-19 રસીકરણ કવરેજ ગુરુવારે 1,49,57,01,483 ને વટાવી ગયું છે, જેમાંથી 87,21,67,247 લોકોને પ્રથમ ડોઝ અને 62,35,34,236 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધીમાં 85,32,595 થી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 1,03,88,650 હેલ્થકેર કર્મચારીઓને પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે 97,32,384 આરોગ્ય કર્મચારીઓને બંને ડોઝ આપવામાં આવ્યા છે. જયારે 1,83,86,770 ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રથમ ડોઝ મળ્યો છે અને 1,69,40,293 હેલ્થકેર વર્કરોએ બંને ડોઝ મેળવ્યા છે.
પ્રથમ ડોઝ 15 થી 18 વર્ષની વય જૂથના 1,64,98,400 લોકોને આપવામાં આવ્યો છે. 18 થી 44 વર્ષની વય જૂથમાં, 50,93,37,538 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે 34,54,67,738 લોકોને બંને ડોઝ મળ્યા છે. 45 થી 59 વર્ષની વય જૂથમાં, 19,55,74,080 લોકોએ પ્રથમ અને 15,42,70,591 લોકોએ બંને ડોઝ મેળવ્યા છે.
આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના 12,19,81,809 લોકોએ પ્રથમ ડોઝ મેળવ્યો છે અને 9,71,23,230 લોકોએ બંને ડોઝ મેળવ્યા છે.
દેશમાં જીવલેણ કોરોના વાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 90 હજાર 928 નવા કેસ નોંધાયા છે. જયારે 325 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 2600 થી વધુ કેસ નોંધાયા છે.