વડોદરા,
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં જાગનાથ મંદિર ખાતે ગણેશયાગની હાજરી આપી હતી. દેશની સૌથી મોટી ગણેશજીની પ્રતિમાના સીએમ રુપાણીએ દર્શન કર્યા હતાં.
આરસપહાણના એક જ પત્થરમાંથી 11 ફૂટ ઉંચી અને 28 ટનના વજનની મૂર્તિની પૂજા કરી હતી..અને રાજ્યમાં લોકોને ગણોશોત્સવ અને જૈન સમાજને સંવત્સરીની શુભેચ્છા પાઠવી હતી.
તેમણે કહ્યું કે, ગણેશોત્સ સામાજિક સમરસતાનું સામાજિક પર્વ છે. રૂપાણીએ આ પ્રસંગે વિરોધીઓ પર નિશાન સાધતાં કહ્યું કે સામાજીક સમરસતા તોડતા પરિબળો પરાસ્ત થાય..ભગવાન ગણેશની મૂર્તિને વડોદરાના રાજાના હસ્તે લોકદર્શન માટે ખુલ્લી મૂકાશે.
આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીનો સંયોગ છે. આ પ્રસંગે ગુજરાતના લોકોને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા. ગુજરાતની એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતા માટેનો પણ આ ઉત્સવ છે.
એકતાને તોડનારા પરિબળો પરાસ્ત થાય અને સામાજીક સમરસતા જળવાઈ રહે તેવી આ પ્રસંગે તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. સંવત્સરી નિમિત્તે બધાને મિચ્છામિ દુક્કડમ. મને સવારના કાર્યક્રમમાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેનો ખૂબ આનંદ છે.