વડોદરા,
વડોદરામાં એમ્બ્યુલન્સ વાનમાં અચાનક આગ લાગી હતી. જેને લઇને અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. અક્ષરચોક પાસે અટલાદર બ્રિજ પાસેથી એમ્બ્યુલન્સ પસાર થઇ રહી હતી.
આ દરમિયાન એમ્બ્યુલન્સમાં અચાનક જ આગ ભડકી હતી.આ આગ કયા કારણોસર લાગી તે અકબંધ રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. જો કે સદ્દનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી. જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.