મા ભારતીનાં પનોતા પુત્ર અને વડોદરા શહેરનાં વતની શહીદ આરીફ પઠાણની અંતિમયાત્રા આજે વડોદરા ખાતે યોજાવવા જઇ રહી છે. શહીદ આરીફ પઠાનની પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમક્રિયા કરવામા આવશે. શહીદ જવાન આરીફ પઠાનની અંતિમયાત્રા તેના રોશનનગર સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે.
આપને જણાવી દઇએ કે શહીદ જવાન આરીફ પઠાન, જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. અને આતંકવાદને ડામવામાં દેશનાં વધુ એક ફરજ પરસ્ત દિકરા તરીકે શહીદ વહોરી હતી. ભારતીય સેનામાં 4 વર્ષથી ફરજ નિભાવતા હતાં. જ્યારે પૂરા સન્માન અને સલામી સાથે શહીદ આરીફ પઠાનનો દેશભક્ત દેહ માદરે વતન વડોદરા લાવવામા આવ્યા ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમ્ નાં નારાથી સમગ્ર વિસ્તાર ગુજી ઉઠ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન