ભાજપ દ્વારા કર્ણાટકમાં આગામી સરકાર રચવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે કર્ણાટક વિધાનસભામાં મંગળવારે વિશ્વાસ મતમાં હારને પગલે અને 18 દિવસનાં રાજકીય નાટક બાદ કર્ણાટકનાં મુખ્યમંત્રી કુમારસ્વામાએ કાલે સત્તા છોડી દીધી છે અને રાજ ભવન જઇ ગવર્નરને રાજીનામુ આપી દીધું છે. ત્યારે આજે ભાજપ કર્ણાટક વિઘાનસભામાં નવી સરકાર રચવાનો દાવો કરી યદિયુરપ્પાને પોતાનાં નેતા તરીકે પસંદ કરે તેવી તમામ તૈેયારી કર્ણાટક ભાજપ દ્વારા કરી લેવામા આવી છે.
ભાજપનાં પ્લાનીંગ અનુસાર ગુરુવાર અથવા શુક્રવારના રોજ મુખ્યમંત્રી યદિયુરપ્પા શપથ લેશે અને ફ્લોર ટેસ્ટ જીત્યા પછી, તેમના મંત્રીમંડળની રચનાને આખરી ઓપ આપશે.
આપને જણવી દઇએ કે કુમારસ્વામી દ્વારા પ્રસ્થાપિત વિશ્વાસમતમાં તેમને 99 મત મળ્યા હતા. જ્યારે ભાજપનાં 105 ધારાસભ્યોએ વિરોધમાં મત આપતા સરકારનુ પતન થયું હતું. મંગળવારે વિઘાનસભામાં 204 ધારાસભ્યોએ હાજરી આપી હતી. બળવાખોર કોંગ્રેસ અને જેડીએસ વિધાનસભ્યો હાલ મુંબઈમાં છે અને બુધવારે બેંગલુરુ પરત ફરવાના છે.
ભાજપ સરકાર દ્વારા આગામી દિવસોમાં વિશ્વસનો મત લેવામા આવે ત્યારે આ તમામ બળવાખોર નેતાઓની દિશા અને કોણ કોની સાથે છે તે સામેે આવી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન