Not Set/ વલસાડના બિલ્ડરનું વડોદરામાં સ્વામિનારાયણ મંદિરમાં થયું મોત, હાર્ટ એટેકનો LIVE વિડીયો

બિલ્ડરે મંદિરમાં દર્શન કરીને જેવું શીશ ઝૂકાવ્યું કે તુરંત જ હુમલો આવ્યો અને તેઓ ભગવાનના ધામમાં જ ઢળી પડ્યા હતા…

Gujarat Vadodara
A 269 વલસાડના બિલ્ડરનું વડોદરામાં સ્વામિનારાયણ મંદિરમાં થયું મોત, હાર્ટ એટેકનો LIVE વિડીયો

વડોદરામાંથી હાર્ટ એટેકનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વલસાડના બિલ્ડરનું હાર્ટ એટેકથી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતાં કરતાં જ મોત નીપજ્યું હતું.  બિલ્ડરે મંદિરમાં દર્શન કરીને જેવું શીશ ઝૂકાવ્યું કે તુરંત જ હુમલો આવ્યો અને તેઓ ભગવાનના ધામમાં જ ઢળી પડ્યા હતા. હાર્ટ એટેકનો આ લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં બિલ્ડરનું કરૂણ મૃત્યુ કેદ થયું છે.

મળતી માહિતી અનુસાર, વલસાડના બિલ્ડર જયંતી ખેલપ મંદિરમાં દર્શને આવ્યા હતા અને દર્શન કરતી વખતે જ ઢળી પડ્યા હતા. આ ઘટના એક અઠવાડિયા પહેલાંની હોવાનું સામે આવ્યું છે જેના સીસીટીવી આજે સામે આવ્યા છે. એક તરફ ભગવાન અને બીજી બાજુ મૃત્યુ આ બિલ્ડરે શ્રીજીચરણમાં જ શ્રીજીનું શરણ પામતા ભક્તોમાં ચકચાર મચી જવા પામ્યો હતો. બિલ્ડરના મોતના પગલે આસપાસ દર્શન કરી રહેલા ભક્તોમાં પણ ડરનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચો :સુરતમાં વેપારીને અર્ધનગ્ન કરી હાથમાં ચોર લખેલું બોર્ડ પકડવી માર્કેટમાં ફેરવાયો

તેઓ જયંતિભાઇને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપે તે પહેલા મંદિરમાં જ તેમનું મોત નિપજે છે. આ ઘટના એક અઠવાડિયા પહેલાની હોવાનું સામે આવ્યું છે. પરંતુ મંદિરના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ છે.

મોટાભાગનના કેસમાં વ્યક્તિ સભાન હોય તો તેને તાત્કાલિક એસ્પિરિન આપવું પડે છે જેના કારણે જાડું લોહી પાતળું થઈ જાય અથવા તો છાતીને દબાવી અને 25-30 કૉમ્પ્રેશન બાદ તેને મોઢાથી ઑક્સિજન પણ આપી શકાય છે. જોકે, આ તમામ ઉપચાર માટે અનુભવ તેમજ તબીબી સલાહ આવશ્યક છે.

આ પણ વાંચો :ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ચુંટણીલક્ષી મારામારીના કેસમાં નિર્દોષ ઠેરવતી નીચલી અદાલત

આ પણ વાંચો : એવું તો શું થયું કે દરિયાપુરના PI, PSI સહિત આખો ડી-સ્ટાફ સસ્પેન્ડ કરાયો…