વલસાડનાં કપરાડાનાં તુલસી નદી પરનો કોઝવે ધોવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડ અને ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હોવાનાં પગલે તુલસી નદીના પાણી કોઝવે પર ફરી વળતા કોઝવે ધોવાઈ ગયો. જેના કારણે કેતકી અને ઉમલી ગામના લોકોની હાલાકી વધી ગઈ છે. કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ચોમાસાની શરૂઆતમાં કોઝવેની આવી સ્થિતિ થતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો સરકારી તંત્ર સામે ફરી કાર્યક્ષમતા મામલે આંગળી ઉઠી રહી છે. જ્યારે તરસ લાગે ત્યારે તંત્ર હંંમેશા કુવો ખોદવા નીકળે છે તેવી છાપ ફરી સરકારી તંત્રએ કાયમ રાખી છે. કારણ કે જ્યારે વરસાદી સીઝનની શરુઆતમાં આવા બનાવો બને છે ત્યારે સરકારની પ્રિ-મોનસૂન કામગીરી શુું ? તેવા મહત્વ પૂર્ણ સવાલ ઉઠી રહ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.