Ahmedabad News: અમદાવાદના માદલપુર ગરનાળા પાસે મધુવન ફ્લેટના ચોથા માળે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત કોલેજ પાસે આવેલ મધુવન ફ્લેટમાં આ આગ લાગતા અફરાતફરી મચી જવા પાણી છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે. આ સાથે ફાયરની ટીમ અને અધિકારીઓ રેસ્ક્યૂની કામગીરીમાં લાગ્યા છે. આ આગ લાગવાની ઘટનામાં ફ્લેટમાં કુલ 40 લોકો ફસાયા છે. હાલ આ આગ કયા કારણને લીધી લાગી છે તે સામે આવ્યુ નથી.
આપને જણાવી દઈએ કે, સદનસીબે આ આગમાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. આ આગને કારણે 80 વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. ગુજરાત કોલેજ વિસ્તારમાં આવેલા મધુવન ફ્લેટમાં આજે આગ લાગી હતી. આ ફ્લેટ કોમર્શિયલ છે. આજે સોમવાર હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો કામ કરી રહ્યા હતા. હાલ આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી.
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનના દરવાજા જ સુરત સ્ટેશને ન ખૂલ્યા, મેન્યુઅલી ખોલવા પડ્યા
આ પણ વાંચો:છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ જાહેરમાં ફેંકી દેવાયા, વીડિયો વાયરલ
આ પણ વાંચો:રાહુલના રાજામહારાજાના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર
આ પણ વાંચો:ભાજપના આકરા તેવર, રાજકોટ જિલ્લામાં વિંછીયાના ઇનચાર્જ ભુપત પડાણીને કર્યા સસ્પેન્ડ