@ધર્મેન્દ્રસિંહ ઝાલા
Surendranagar News: હરાજીમાં ધાંગધ્રા ડિવિઝન ના પાંચ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા અલગ અલગ ગુનામાં પકડાયેલા વાહનોનો માલવણ ખાતે ધરાજી કરવામાં આવી હતી આ રાજ્યમાં અલગ અલગ શહેરથી ભંગારના ડેલા વાળા વેપારીઓ તેમજ અલગ અલગ વ્યવસાયના સાધન ખરીદનાર વ્યક્તિઓ પહોંચ્યા હતા અને હરાજીમાં ભાગ લીધો હતો ટોટલ સો વાહનોને નવલાખ ચોવીસ હજારની વસુલાત કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જ આઇ.જી વડા અશોકકુમાર યાદવ સાહેબનાઓની સુચનાથી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડ્યા સાહેબનાઓના માર્ગદર્શનથી નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત સા.ધ્રાંગધ્રા ડીવીઝનનાઓના સુપરવિઝનમાં ધ્રાંગધ્રા ડીવીઝનના કુલ-૬ પો.સ્ટે. જેમાં ધ્રાંગધ્રા સીટી,ધ્રાંગધ્રા તાલુકા,બજાણા,ઝીંઝુવાડા ,દશાડા, પાટડી પો.સ્ટેમાં પકડાયેલ વાહનોની આજરોજ તા.૨૪/૧૨/૨૦૨૩ ના રોજ વાહન હરાજીનું આયોજન કરવામાં આવેલ હતુ.
જેમાં ટુ-વ્હિલર-૮૯, ફોર વ્હિલ-૧૦, અને થ્રી વ્હિલ-૧ એમ કુલ-૧૦૦ જેટલા વાહનોની હરાજી કરવામાં આવેલ હતી.જેની રૂ.૯,૨૪૦૦૦/- ની કિંમત વસૂલવામાં આવેલ છે.જેમાં ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ધ્રાંગધ્રા સીટી/તાલુકા પો.સ્ટે ની હરાજી રાખવામાં આવેલ અને બાદમાં બાકીના ચાર પો.સ્ટેની બજાણા પો.સ્ટે ખાતે વાહન હરાજી રાખવામાં આવેલ હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના ઓ.એસ. એ.એસ.પરમાર સાહેબ તથા તમામ પો.સ્ટેના થાણા ઇન્ચાર્જ શ્રીઓ તથા MT શાખાના પો.સ.ઈ. એચ.જી.ઝાલા ઉપસ્થિત રહેલ હતા. તેમજ ગુજરાત ભરના ૨૧૦ જેટલા વેપારીઓએ ભાગ લીધેલ હતો.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: