અમદાવાદ,
ગાંધીજીની 150મી જન્મજંયંતી ઉજવાઇ રહી છે પરંતુ ગાંધી આશ્રમનો વિવાદ અડીખમ છે. ગાંધી આશ્રમવાસી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા અને ટ્રસ્ટી બનાવવા માંગ કરી.
ધનરાજ બગડાએ વર્તમાન ટ્રસ્ટી જયેશ પટેલ સામે ગાંધી આશ્રમની ગ્રાંટ ચાઉ કરી જવાનો આક્ષેપ કર્યો હતો. તેણે જણાવ્યુ હતુ કે ગાંધી આશ્રમને આપવામાં આવતી ગ્રાંટની રકમ આશ્રમના વિકાસમાં વાપરવામાં આવતી નથી.
શૈલેષ બગડા અને ધીમંત બગડા ત્રણ માંગ સાથે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા..મકાન માલીક બનાવવા, ટ્રસ્ટી બનાવવા અને રોજગારી માટે ફંડ ફાળવવાની માંગ કરી હતી.