બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શશિકલાનું નિધન થયું છે. 4 એપ્રિલ, રવિવારે તેમણે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા હતા. આપને જણાવીએ કે, શશિકલાએ 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. સલમાન ખાનની ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’માં દાદીની ભૂમિકામાં શશિકલાને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :અક્ષય કુમાર બાદ ગોવિંદાને પણ થયો કોરોના, થયા હોમ ક્વોરન્ટાઈન
આપને જણાવી દઈએ કે, શશિકલાનો જન્મ ઓગસ્ટ 1932 માં થયો હતો. તેને ડાકુ, રાસ્તા અને કભી ખુશી કભી ગમથી ઘણી લોકપ્રિયતા મળી હતી.
આ પણ વાંચો :TV કલાકાર ગૌરવ દિક્ષિતના ફ્લેટમાંથી મોટી માત્રામાં મળ્યો ડ્રગ્સ, NCB ની કાર્યવાહી
શશિકલાને નાનપણથી જ નાચવાનું અને ગાવાનું ખુબ જ શોખ હતો. તેમના પિતાનો ધંધો અટકી પડ્યા પછી તે કામની શોધમાં મુંબઇ આવ્યા હતા. તે ત્યાં નૂરજહાંને મળ્યા હતા. શશિકલાની પહેલી ફિલ્મ ઝીનત હતી, જે નૂરજહાંના પતિ શોકત રિઝવીએ બનાવી હતી. તેણે તીન બત્તી ચાર રસ્તા, હમજોલી, સરગમ, ચોરી ચોરી, નીલકમાલ, અનુપમામાં પણ કામ કર્યું.
આ પણ વાંચો :રાધિકા આપ્ટેએ કર્યો ખુલાસો, જ્યારે પહેલા પીરિયડ દરમિયાન બ્લડ જોઇને થઇ ગઇ હતી આવી હાલત..
ફિલ્મ્સની સાથે શશિકલાએ ટીવીમાં પણ કામ કર્યું હતું. તે પ્રખ્યાત સીરિયલ સોન પરીમાં ફ્રુટીની દાદીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. વર્ષ 2007 માં, તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અને વર્ષ 2009 માં, તેમને વી શાંતારામ એવોર્ડ્સમાં લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો.
આ પણ વાંચો :નોરા ફતેહીએ ભીના વાળમાં કરાવ્યું એવું ફોટોશૂટ કે જોઇને ચાહકો પણ થયા ઘાયલ…