દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી વરસાદને કારણે સરદાર સરોવર ડેમના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે.
નર્મદાનાં ઉપરવાસમાં સારા વરસાદથી સરદાર સરોવર ડેમમાં પાણીમાં સારી એવી પાણીની આવક જોવા મળી રહી છે.
ઉપવાસના પાણીને કારણે 52549 ક્યુસેક પાણીની આવક થઈ છે. ત્યારે આ વરસાદના કારણે ડેમનું જળસ્તર 120.92 મીટરની સપાટીએ પહોંચ્યું છે.
ડેમમાં પ્રતિ કલાકે 4 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.