“ટીમ મોદી”ની શપથ વિધી રંગેચંગે સમ્પન્ન થયા બાદ, કોને કયું ખાતુ સોપવામાં આવશે તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તમામ ચર્ચા અંતે તો અટકળો જ છે. અટકળોનો અંત આજે સાંજે 5 વાગ્યે પહેલીવાર મળી રહેલી મોદી કેબિનેટની બેઠક બાદ આવી જશે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ મંત્રીમંડળમાં કોને કયું ખાતું સોંપવામાં આવશે તેની ચર્ચા ચાલી રહી છે અને વિચાર વિમર્શ બાદ થોડા સમયમાં જ નામો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રો મુજબ રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર, રવિ શંકર પ્રસાદનાં ખાતામાં બદલાવ આવવાની સંભાવનાં નહીવત જોવામાં આવી રહી છે. ત્યારે નવા મંત્રીમંડળમાં નાણાંમંત્રી અરૂણ જેટલી અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની ગેરહાજરીમાં આ બે ખાતા કોને સોંપવામાં આવશે તેનાં પર સૌની નજર છે. પ્રાપ્ત થઇ રહેલી માહિતી મુજબ નાણામંત્રાલય માટે અમિત શાહનું નામ લગભગ નક્કી માનવામા આવી રહ્યું છે. ત્યારે મોદી કેબિનેટમાં ખાતની ફાણવણીનો છેલ્લો નિર્ણય વડા પ્રધાન મોદી જ કરશે કે કોને કયુ મંત્રાલય સોંપવામાં આવે.