- કેનેડા જતી ફ્લાઇટ ન ઉપડતા મુસાફરો હેરાન
- અગમ્ય કારણોસર ફ્લાઇટનું ઉડાન નહીં
- એરપોર્ટ પર મુસાફરોએ મચાવ્યો હોબાળો
- એકપણ ફ્લાઇટ ટેકઓફ ન થતાં હોબાળો
અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારે મુસાફરો દ્વારા હોબાળાની ઘટના સામે આવી હતી. વહેલી સવારે મુંબઇ અને કેનેડાની ફલાઇટ
નિર્ધારિત સમય પર ટેક ઓફ જ થઇ ના હતી. જેને લઈને તેના યાત્રીઓએ હોબાળો કર્યો હતો. ફ્લાઈટ ટેક ઓફ ના થતા વહેલી સવારે એરપોર્ટ પહોંચેલા મુસાફરો દ્વિઘામાં મુકાઇ ગયા હતા.
બીજી બાજુ તંત્ર તરફથી પણ કોઇ જ યોગ્ય જવાબ અપાયો નહોતો. જેને લઇને મુસાફરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ટેકનિકલ ક્ષતિ અથવા ભારે ધુમ્મસને કારણે ફલાઇટ ના ઉપડી શકી પણ યોગ્ય કારણ પણ સ્થાનિક તંત્ર તરફથી યાત્રીઓને ના દર્શાવાતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.