કોરોના સાથે સંઘર્ષ કરી રહેલા વિશ્વને કરોડો રસી ડોઝ ભેટ આપ્યા અથવા વેચ્યા પછી, ભારતને હવે અચાનક રસીઓની અછત ઊભી થઈ છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે રસીના સપ્લાય અંગે પણ આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો થયા છે. દેશમાં હવે કોરોનાના બે લાખથી વધુ કેસ સામે આવવા લાગ્યા છે. હોસ્પિટલોમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓના કારણે પણ અવ્યવસ્થા ફેલાઈ છે. ક્યાંક બેડ ન હોય તો, ક્યાંક ઓક્સિજન સપ્લાય વિક્ષેપિત થાય છે. દરમિયાન ભારતે પણ રસીકરણની ગતિ વધારવી પડશે. પરિસ્થિતિઓ એવી છે કે હવે ભારત વિદેશી રસી માટે પણ દરવાજા ખોલી રહ્યું છે. પરંતુ આ પરિસ્થિતિ પણ વિશ્વ માટે તણાવપૂર્ણ બાબત છે.
ભારત માટે આ સમયે આપણા દેશની જરૂરિયાતોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ બની ગયું છે. પરંતુ જો ભારત, જેને વિશ્વનું રસી કેન્દ્ર માનવામાં આવે છે, જો તે પોતા પર ધ્યાન કેન્દ્રિત કરશે, તો તે ઘણા દેશો માટે ચિંતાજનક પરિસ્થિતિઓનું નિર્માણ કરશે. રોઇટર્સના એક અહેવાલ મુજબ, ખાસ કરીને 60 ગરીબ દેશોના રસીકરણના કાર્યક્રમ પર મોટી અસર પડશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કોવાક્સ પ્રોગ્રામ મુખ્યત્વે ભારતના સપ્લાય પર કેન્દ્રિત છે. કોવાક્સ હેઠળ, દેશોને રસી પૂરી પાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મહિનામાં ભારતે માત્ર 12 લાખ રસીની નિકાસ કરી છે
ભારતમાં વધતા જતા કેસોની અસર રસી નિકાસ પર પણ પડી રહી છે. આ મહિનામાં ભારતે માત્ર 12 લાખ રસીની નિકાસ કરી છે. જ્યારે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ભારતે લગભગ 6.4 કરોડ રસી મોકલી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર ભારતમાં કટોકટીની સ્થિતિ છે અને દેશમાં મોટાભાગની રસીનો ઉપયોગ કરવામાં આવશે. ગયા અઠવાડિયે, વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે ભારતની રસીની નિકાસ દેશમાં કોરોનાની સ્થિતિ કેવી છે તેના પર નિર્ભર રહેશે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.40 લાખ નવા કેસો
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.40 લાખ નવા કેસો નોંધાયા છે. જેથી કુલ કેસો હવે 1.45,21683 કરોડને પાર થયા છે. દેશમાં ફરી એક વખત એક હજારથી વધારે મોત નિપજ્યા છે. સતત ત્રીજા દિવસે મોતનો આંકડો એક હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 1350 થી વધુ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે પ્રથમ વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.22 લાખ થવા જાય છે. જ્યારે એક્ટિવ કેસ હવે 16.75 લાખ થયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…